Fri,26 April 2024,4:37 am
Print
header

Big news- સુપરસ્ટાર રજનીકાંતને દાદા સાહેબ ફાળકે એવોર્ડનું સૌથી મોટું સન્માન

નવી દિલ્હીઃ સૌથી મોટા સમાચાર સામે આવ્યાં છે લાખો લોકોના દિલની ધડકન એવા સુપરસ્ટાર રજનીકાંતને મોદી સરકારે દાદા સાહેબ ફાળકે એવોર્ડ આપવાની જાહેરાત કરી છે. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે આ માહિતી આપી છે, રજનીકાંતને ફિલ્મ જગતના સૌથી મોટા સન્માનથી નવાજવામાં આવશે.

આગામી 3 મેના રોજ રજનીકાંતને 51મો દાદા સાહેબ ફાળકે અવોર્ડ એનાયત કરવામાં આવશે.છેલ્લા 5 દાયકાથી કરોડો લોકોનું મનોરંજન કરી રહેલા સુપરસ્ટાર રજનીકાંતને આ એવોર્ડ મળતા તેમના કરોડો ચાહકો ખુશ છે. બીજી તરફ તેમની ખરાબ તબિયતને કારણે તેમને રાજનીતિમાં ન આવવાનું નક્કિ કર્યું છે અગાઉ ચર્ચાઓ હતી કે અન્ય સાઉથના સુપરસ્ટારની જેમ રજનીકાંત રાજનીતિમાં એન્ટ્રી કરશે, જો કે તેઓ રાજનીતિમાં ઉતરશે નહીં, તમિલનાડુમાં ચૂંટણી વખતે જ મોદી સરકારે રજનીકાંતને આ સન્માનની જાહેરાત કરતા ભાજપને તેનો ફાયદો થઇ શકે છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch