Thu,25 April 2024,12:34 am
Print
header

રાજસ્થાનઃ નાગૌરમાં રોડ અકસ્માતમાં 11 લોકોના મોત, મંદિરે દર્શન કરીને ઘરે પરત ફરી રહ્યાં હતા

રાજસ્થાનઃ નાગૌર સ્થિત શ્રીબાલાજી પાસે એક ભયાનક અકસ્માતમાં મધ્યપ્રદેશના 11 લોકોના મોત થઇ ગયા છે અને 7 લોકોની હાલત ગંભીર છે. નોખા બાયપાસ પર એક તુફાન જીપ અને ટ્રેલર વચ્ચે ભીષણ અકસ્માત થયો હતો. 8 લોકોએ ઘટનાસ્થળ પર જ દમ તોડી દીધો હતો.3 ઘાયલોના નોખા હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયા છે. 7 ઘાયલ લોકોને બીકાનેર જિલ્લા હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યાં છે.

મૃતકો MPના ઉજ્જૈન જિલ્લાના ઘટીયા પોલીસ સ્ટેશનના સજ્જન ખેડા અને દૌલતપુર ગામના રહેવાસીઓ હોવાનું જાણવા મળી રહ્યું છે. મૃતકોમાં 8 મહિલાઓ અને 3 પુરુષો છે. નોખા નજીક શ્રીબાલાજી ગોલાઈમાં આ રોડ અકસ્માત થયો છે તે 12 સીટર જીપમાં 18 લોકો સવાર હતા. અકસ્માત દરમિયાન સ્થાનિક લોકો ત્યાં પહોંચી ગયા હતા અને પોલીસ, એમ્બ્યુલન્સને જાણ કરી હતી. સ્થાનિક લોકોની મદદથી મૃતદેહો બહાર કાઢવામાં આવ્યાં હતા.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch