Fri,26 April 2024,2:15 am
Print
header

કોંગ્રેસના ડૂબતા જહાજને છોડીને ભાગી ગયા રાહુલ ગાંધી, AIMIMના અસરૂદ્દીન ઓવૈસીનો કટાક્ષ

મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના પ્રચારમાં હૈદરાબાદના AIMIMના સાંસદ અસરૂદ્દીન ઓવૈસીએ રાહુલ ગાંધી અને કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા, ભીવંડીમાં પોતાની પાર્ટીના ઉમેદવારના પ્રચારમાં તેમને કહ્યું કે રાહુલ ગાંધી એવા કેપ્ટન છે જે કોંગ્રેસના ડૂબતા જહાજને છોડીને ભાગી ગયા છે, જ્યારે જહાજ દરિયામાં ડૂબવા લાગે છે ત્યારે જહાજના કેપ્ટન બધાને સુરક્ષિત બહાર કાઢે છે, પરંતુ અહી તો રાહુલ ગાંધી બધાને ડૂબતા મુકીને ભાગી ગયા છે, સાથે જ તેમને કહ્યું કે ભારતમાં મુસ્લિમો કોંગ્રેસની કૃપાથી નથી જીવતા પરંતુ બંધારણ અને અલ્લાહની મરજીથી જીવે છે, અગાઉ પણ ઓવૈસીએ કોંગ્રેસની ઝાટકણી કાઢી હતી.

ઔવેસીએ મોદી સરકાર સામે પણ પ્રહાર કર્યા, કહ્યું કે ત્રિપલ તલાક બિલ લાવીને ભાજપ એવું સમજે છે કે તેમને મુસ્લિમ મહિલાઓ સાથે ન્યાય કર્યો છે, તો તેમની માન્યતા ખોટી છે, જો મોદી મુસ્લિમ સમાજ માટે કંઇ કરવા માંગતા હોય તો મહારાષ્ટ્રમાં મરાઠાઓની જેમ મુસ્લિમોને પણ અનામત આપવી જોઇએ.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch