Sat,20 April 2024,9:23 am
Print
header

CM ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય, સામાન્ય મુલાકાતીઓ પાસ મેળવીને સચિવાલયમાં કરી શકશે પ્રવેશ

અત્યાર સુધી કોરોનાને કારણે મુલાકાતીઓ માટે બંધ હતી એન્ટ્રી 

ગાંધીનગરઃ રાજ્યના સામાન્ય નાગરિકો મંત્રીઓ અને અધિકારીઓને પોતાના કામકાજ માટે સરળતાથી મળી શકે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોટો નિર્ણય કર્યો છે. નવા સચિવાલય સંકુલ, સ્વર્ણિમ સંકુલ-1,2 માં પ્રવેશ પાસ મેળવીને મુલાકાતીઓ હવે ફરીથી એન્ટ્રી લઇ શકશે. સામાન્ય નાગરિકો કોઇ પણ હાલાકી વિના મંત્રીઓ અને સરકારી અધિકારીઓને મળી શકશે.

મુખ્યમંત્રીના દિશા-નિર્દેશનમાં રાજ્યના સામાન્ય વહિવટ વિભાગે આ અંગેની સૂચનાઓ જારી કરતા પરિપત્રમાં જણાવ્યું છે કે મંગળવાર તા. 21 સપ્ટેમ્બર-2021થી કામકાજના દિવસો દરમિયાન નવા સચિવાલય સંકુલમાં રાબેતા મુજબ પ્રવેશ આપવામાં આવશે.

જો કે હવે રાજ્યમાં કોરોના કેસમાં ઘટાડો નોધાતા મંગળવાર તા.21મી સપ્ટેમ્બરથી નવા સચિવાલયના ગેટ નં-1 અને ગેટ નં-4 મારફતે મુલાકાતીઓને પ્રવેશ આપવામાં આવશે. પ્રવેશ મેળવનારા નાગરિકો-મુલાકાતીઓને માસ્ક- ફેઇસ કવર પહેરવા તેમજ કોરોના સંક્રમણ નિયંત્રણ અંગેની માર્ગદર્શિકા SOP નું પાલન કરવા અપીલ કરવામાં આવી છે. નોંધનિય છે કે કોરોનાને કારણે મુલાકાતીઓને એન્ટ્રી બંધ કરાઇ હતી પરંતુ હવે નાગરિકો સચિવાલયમાં એન્ટ્રી મેળવી શકશે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch