અત્યાર સુધી કોરોનાને કારણે મુલાકાતીઓ માટે બંધ હતી એન્ટ્રી
ગાંધીનગરઃ રાજ્યના સામાન્ય નાગરિકો મંત્રીઓ અને અધિકારીઓને પોતાના કામકાજ માટે સરળતાથી મળી શકે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોટો નિર્ણય કર્યો છે. નવા સચિવાલય સંકુલ, સ્વર્ણિમ સંકુલ-1,2 માં પ્રવેશ પાસ મેળવીને મુલાકાતીઓ હવે ફરીથી એન્ટ્રી લઇ શકશે. સામાન્ય નાગરિકો કોઇ પણ હાલાકી વિના મંત્રીઓ અને સરકારી અધિકારીઓને મળી શકશે.
મુખ્યમંત્રીના દિશા-નિર્દેશનમાં રાજ્યના સામાન્ય વહિવટ વિભાગે આ અંગેની સૂચનાઓ જારી કરતા પરિપત્રમાં જણાવ્યું છે કે મંગળવાર તા. 21 સપ્ટેમ્બર-2021થી કામકાજના દિવસો દરમિયાન નવા સચિવાલય સંકુલમાં રાબેતા મુજબ પ્રવેશ આપવામાં આવશે.
જો કે હવે રાજ્યમાં કોરોના કેસમાં ઘટાડો નોધાતા મંગળવાર તા.21મી સપ્ટેમ્બરથી નવા સચિવાલયના ગેટ નં-1 અને ગેટ નં-4 મારફતે મુલાકાતીઓને પ્રવેશ આપવામાં આવશે. પ્રવેશ મેળવનારા નાગરિકો-મુલાકાતીઓને માસ્ક- ફેઇસ કવર પહેરવા તેમજ કોરોના સંક્રમણ નિયંત્રણ અંગેની માર્ગદર્શિકા SOP નું પાલન કરવા અપીલ કરવામાં આવી છે. નોંધનિય છે કે કોરોનાને કારણે મુલાકાતીઓને એન્ટ્રી બંધ કરાઇ હતી પરંતુ હવે નાગરિકો સચિવાલયમાં એન્ટ્રી મેળવી શકશે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો
પાકિસ્તાનમાં ભારે વરસાદે તબાહી મચાવી, 87 લોકોના મોત, 2500 થી વધુ મકાનોને થયું નુકસાન | 2024-04-20 07:59:15
રૂપાલાને હરાવીશું, મત એ જ શસ્રઃ રાજપૂત સંકલન સમિતિની જાહેરાત – Gujarat Post | 2024-04-20 07:46:56
કેનેડાની અત્યાર સુધીની સૌથી મોટી લૂંટમાં ભારતીય મૂળના બે વ્યક્તિઓની ધરપકડ, જાણો કેવી રીતે થયો ખુલાસો | 2024-04-19 18:01:07
વાસુકી નાગના વૈજ્ઞાનિકોને કચ્છમાંથી મળ્યા અવશેષો, ટી-રેક્સ ડાયનાસોર કરતા પણ મોટો હતો | 2024-04-19 17:35:13
Amit shah nomination: લોકસભા ચૂંટણીને લઇને ગાંધીનગર બેઠક પર અમિત શાહે નોંધાવી ઉમેદવારી | 2024-04-19 13:35:31
બીજા રાજ્યોમાં પણ ક્ષત્રિય સમાજનો ભાજપને ડર...આજે પરસોત્તમ રૂપાલા ફોર્મ પરત ખેંચી લે તેવી પુરી શક્યતા- Gujarat Post | 2024-04-19 09:46:17
પોતાનો ફાયદો ન દેખાતા નેતાઓ આમ આદમી પાર્ટી છોડી રહ્યાં છે, અલ્પેશ કથિરીયા, ધાર્મિક માલવિયાએ આપ્યું રાજીનામું | 2024-04-18 16:02:48
શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુન્દ્રા સામે ED ની મોટી કાર્યવાહી, રૂ. 97.79 કરોડની સંપત્તિ કરી જપ્ત | 2024-04-18 15:21:53
પૂર, દુષ્કાળ અને ચક્રવાત..આબોહવાની આપત્તિ વિશ્વમાં આર્થિક સંકટ લાવી રહી છે, યુએને વિશ્વને આપી મોટી ચેતવણી | 2024-04-18 09:17:32
પાકિસ્તાનમાં X પર પ્રતિબંધનો કેસ, હાઈકોર્ટે સરકારને એક સપ્તાહમાં નિર્ણય પાછો ખેંચવા આપ્યો આદેશ | 2024-04-17 18:20:40
અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર કાર ટ્રેલર પાછળ ઘુસી જતાં 10 લોકોનાં મોત- Gujarat Post | 2024-04-17 16:08:22