રાજકોટઃ ગોંડલના ચકચારી પૂર્વ ધારાસભ્ય પોપટ સોરઠિયા હત્યા કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા રીબડાના અનિરૂદ્ધસિંહ જાડેજાએ ગોંડલ કોર્ટમાં આત્મસમર્પણ કર્યું છે. સુપ્રીમ કોર્ટે અગાઉ જે સ્ટે આપ્યો હતો તે પરત ખેંચી લેતા આજે આત્મસમર્પણ કરવું પડ્યું છે.
ગોંડલના પૂર્વ ધારાસભ્ય પોપટ સોરઠિયાની 15 ઓગસ્ટ, 1988ના રોજ હત્યા થઈ હતી. આ કેસમાં અનિરૂદ્ધસિંહ જાડેજાને આજીવન કેદની સજા થઈ હતી. પરંતુ તેમને સરકારે સજા માફી આપી હતી, જેનો ગુજરાત હાઈકોર્ટે વિરોધ કરતા સજા માફીને ગેરકાયદેસર ઠેરવી હતી. હાઈકોર્ટે અનિરૂદ્ધસિંહને ચાર અઠવાડિયામાં આત્મસમર્પણ કરવાનો આદેશ આપ્યો હતો.
આ આદેશ સામે અનિરૂદ્ધસિંહે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. ગુરુવારે, 18મી સપ્ટેમ્બરે સુપ્રીમ કોર્ટે તેમના આત્મસમર્પણ પર એક અઠવાડિયા માટે સ્ટે આપ્યો હતો, પરંતુ બીજા જ દિવસે, શુક્રવારે, 19મી સપ્ટેમ્બરે સામા પક્ષની અરજી પર સુનાવણી દરમિયાન કોર્ટે આ સ્ટે પરત ખેંચી લીધો હતો.
કોર્ટે અનિરૂદ્ધસિંહને રાત્રે 8 વાગ્યા સુધીમાં આત્મસમર્પણ કરવાનો આદેશ આપ્યો હતો. આ આદેશ પછી, અનિરૂદ્ધસિંહ જાડેજાએ આજે બપોરે ગોંડલ કોર્ટમાં હાજર થઈ આત્મસમર્પણ કર્યું. કોર્ટમાં મોટી સંખ્યામાં તેમના સમર્થકો હાજર રહ્યા હતા અને પોલીસનો પણ મોટો કાફલો ગોઠવવામાં આવ્યો હતો.
પ્રેમ લગ્ન બાદ ઝઘડાથી કંટાળી યુવકનો આત્મહત્યાનો પ્રયાસ: ચિઠ્ઠીમાં લખ્યું- મેરી વાલીને ગદ્દારી કી હૈ | 2026-07-17 18:26:36
પીએમ અર્બન ચેલેન્જ ફંડ: અમદાવાદના 6 પ્રોજેક્ટ્સ માટે રૂ. 2719 કરોડ મંજૂર | 2026-07-17 18:09:32
ગેનીબેન ઠાકોરે ભુવાઓને આડેહાથ લઈ શું કહ્યું? | 2026-07-17 17:56:05
મગરે 12 વર્ષના છોકરાને જીવતો ફાડી ખાધો, નદીમાં હાથ ધોતી વખતે અચાનક કર્યો હુમલો | 2026-07-17 16:40:29
કચ્છમાં 27 વર્ષીય એરફોર્સના જવાને AK-47 રાઇફલ વડે ગોળી મારીને કરી આત્મહત્યા | 2026-07-17 16:00:51
ગુજરાતમાં જૈશના વધુ પાંચ આતંકવાદીઓની ધરપકડ, તેમને અનેક વખત બોમ્બ વિસ્ફોટ કરવાનો કર્યો પ્રયાસ | 2026-07-17 15:36:40
ઝાલોદમાં માતાએ બે માસૂમ બાળકીઓ સાથે કૂવામાં કૂદીને આત્મહત્યા કરી લીધી, કારણ અકબંધ | 2026-07-17 09:47:47
ACB ટ્રેપઃ ચાલ- ચલગતના દાખલા માટે રૂ. 500 ની લાંચ લેનારો ઉના પોલીસ સ્ટેશનનો GRD જવાન ઝડપાયો | 2026-07-16 19:37:18
ગોંડલમાં પોલીસ કોન્સ્ટેબલના ઘરમાં જ જુગારનો અડ્ડો, રેન્જ IG ની ટીમનું મોટું ઓપરેશન, 13 મહિલાઓ ઝડપાઇ | 2026-07-15 11:18:02
રામ મંદિરનો શ્રેય તમારો તો લૂંટની જવાબદારી કોની ? પીએમ મોદી પર મુકુલ વાસનિકનો પ્રહાર | 2026-07-08 18:11:34
પાણી માટે રૂ.12 લાખ, બપોરના ભોજન માટે રૂ. 20 લાખ.. 3 દિવસના ડિમોલિશન દરમિયાન અધિકારીઓનું રૂ. 46 લાખનું ખર્ચા પાણી બિલ | 2026-06-26 17:54:23
ACB ટ્રેપમાં દેવભૂમી દ્વારકાના જુનિયર ક્લાર્ક ફસાયા, રૂ. 3 હજારની લાંચ લેતા ઝડપાયા | 2026-06-24 09:56:40