નવી દિલ્હીઃ કોરોનાના સંકટ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગથી રાજ્યોના મુખ્યપ્રધાનો સાથે વાતચીત કરી છે, દેશમાં કોરોનાને કારણે 66 લોકોનાં મોત થઇ ગયા છે, 2000 જેટલા લોકોને ચેપ લાગ્યો છે, ત્યારે મોદીએ કહ્યું છે કે આપણે એક થઇને કોરોના સામે લડવાનું છે. મોદીએ મુખ્યમંત્રીઓ સાથેની ચર્ચામાં કહ્યું કે તમે લોકડાઉનનું યોગ્ય પાલન કરાવો, જનતાને જીવન જરૂરિયાતની વસ્તુઓ મળે તે માટે ખાસ ધ્યાન આપજો, મોદીએ મેડિકલ સેવાઓને લઇને પણ ચર્ચા કરી છે.
મોદીએ બધા મુખ્યપ્રધાનોને કહ્યું છે કે જો તમારા રાજ્યોમાં કોઇ લોકો અન્ય જગ્યાએથી પાછા આવેલા હોય તો તાત્કાલિક તેમને ક્વોરોન્ટાઇન કરીને તેમની સારવાર કરાવો, તેમને મળેલા અન્ય લોકોની પણ શોધખોળ જરૂરી છે.
આ ચર્ચામાં પશ્વિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ કોરોના સામેની લડત માટે કેન્દ્ર સરકાર પાસેથી 2500 કરોડ રૂપિયાની માંગ કરી છે. પંજાબે ખેડૂતોનું અનાજ રાખવા વ્યવસ્થા માંગી છે, કારણ કે પંજાબમાં હાલમાં ઘઉંની સિઝન છે. ઘણા રાજ્યોએ મેડિકલ ઇક્વિપમેન્ટ માંગ્યા છે, પીએમ મોદીને રાજ્યોના મુખ્યપ્રધાનોએ એમ પણ પુછ્યું છે કે આ લોકડાઉન ક્યાં સુધી રહેશે, કારણ કે જો કોરોનાના વધુ કેસો થાય તો નાગરિકોની સુરક્ષા માટે લોકડાઉન 21 દિવસ પછી પણ સરકાર લંબાવી શકે છે. જો કે કેન્દ્ર સરકારે અગાઉ કહ્યું હતુ કે 21 દિવસ પછી લોકડાઉન લંબાવવાનું તેમનું હાલમાં કોઇ આયોજન નથી, લોકોએ પણ ચિંતા કરવાની જરૂર નથી.
પોતાનો ફાયદો ન દેખાતા નેતાઓ આમ આદમી પાર્ટી છોડી રહ્યાં છે, અલ્પેશ કથિરીયા, ધાર્મિક માલવિયાએ આપ્યું રાજીનામું | 2024-04-18 16:02:48
શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુન્દ્રા સામે ED ની મોટી કાર્યવાહી, રૂ. 97.79 કરોડની સંપત્તિ કરી જપ્ત | 2024-04-18 15:21:53
લોકસભા ચૂંટણી 2024: સાણંદમાં અમિત શાહનો ભવ્ય રોડ શો, મોટી સંખ્યામાં ઉમટ્યાં લોકો | 2024-04-18 10:51:11
પૂર, દુષ્કાળ અને ચક્રવાત..આબોહવાની આપત્તિ વિશ્વમાં આર્થિક સંકટ લાવી રહી છે, યુએને વિશ્વને આપી મોટી ચેતવણી | 2024-04-18 09:17:32
યુપીના એટામા ગમખ્વાર અકસ્માત, બેકાબૂ કાર ડિવાઇડર સાથે અથડાઈ, બે બાળકો સહિત ચારનાં મોત- Gujarat Post | 2024-04-18 08:54:32
ગુજરાતમાં AAP ઉમેદવારના પ્રચાર દરમિયાન રડવા લાગ્યા ભગવંત માન, કહ્યું- જેલના તાળાં તોડવામાં આવશે, કેજરીવાલને છોડાવવામાં આવશે | 2024-04-16 17:49:28
અમરેલીથી સ્કૂટર લઈને રાજકોટ લોકસભા ચૂંટણી લડવા રવાના થયા પરેશ ધાનાણી, કહ્યું- જીત મેળવીને પાછો આવીશ- Gujarat Post | 2024-04-16 17:08:31
જોરદાર વિરોધ પ્રદર્શન...ભાવનગરમાં ભાજપ ઉમેદવારની સભામાં ક્ષત્રિયોએ કાળા વાવટા ફરકાવ્યાં | 2024-04-16 13:28:04
અદ્ભભૂત ક્ષણ....રામલલ્લાનું સૂર્ય તિલક, અનોખી છાયા જોઈને રામભક્તો મંત્રમુગ્ધ થઇ ગયા | 2024-04-17 14:21:00
Fact Check: ફિલ્મ સ્ટાર આમિર ખાને કોંગ્રેસનો પ્રચાર નથી કર્યો, આ વીડિયો ફેક છે- Gujarat Post | 2024-04-17 09:48:13
અંદાજે 500 વર્ષો બાદ અયોધ્યાના રામ મંદિરમાં રામનવમીની ઉજવણી, રામલલ્લાનો થશે સૂર્ય અભિષેક | 2024-04-17 08:59:29