ગાંધીનગરઃ PM નરેન્દ્ર મોદી આજથી બે દિવસ ગુજરાત મુલાકાતે છે. તેઓ ગુજરાતની મુલાકાત દરમિયાન અનેક વિકાસ યોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. પીએમઓના જણાવ્યાં અનુસાર, વડાપ્રધાન મોદી 28 જુલાઈના રોજ બપોરે 12 વાગ્યે સાબરકાંઠામાં ગંધોડા ચોકી ખાતે સ્થિત સાબર ડેરીના રૂ. 1,000 કરોડના પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે.આ ડેરીની ક્ષમતા પ્રતિદિન લગભગ 1.20 લાખ ટન છે. આ પ્રોજેક્ટથી સ્થાનિક ખેડૂતો અને દૂધ ઉત્પાદકોને ઘણો ફાયદો થશે અને તેમની આવકમાં વધારો થશે. તેનાથી પ્રદેશના ગ્રામીણ અર્થતંત્રને વેગ મળશે.
PM મોદી સાબર ડેરી ખાતે લગભગ 120 મિલિયન ટન પ્રતિ દિવસ MTPD ક્ષમતા ધરાવતા પાવડર પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે.આ સમગ્ર પ્રોજેક્ટનો કુલ ખર્ચ 300 કરોડ રૂપિયાથી વધુ છે. લગભગ શૂન્ય ઉત્સર્જન ધરાવતો આ પ્લાન્ટ ખૂબ જ ઓછી ઉર્જા વાપરે છે. તે નવી અને સંપૂર્ણ સ્વચાલિત બલ્ક પેકિંગ લાઇનથી પણ સજ્જ છે. PM મોદી સાબર ડેરી ખાતે એસેપ્ટિક મિલ્ક પેકેજિંગ પ્લાન્ટનું પણ ઉદ્ઘાટન કરશે.આ સિવાય તેઓ સાબર ચીઝ એન્ડ વ્હી ડ્રાયિંગ પ્લાન્ટ પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કરશે.
તમિલનાડુમાં ચેસ ઓલિમ્પિયાડનું ઉદ્ઘાટન કરશે
તેઓ ગુરુવારે 29 જુલાઈએ તમિલનાડુના પ્રવાસે જશે.પીએમઓ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદન અનુસાર, પીએમ મોદી 44માં આંતરરાષ્ટ્રીય ચેસ ઓલિમ્પિયાડનું ઉદ્ઘાટન કરવા અને 29 જુલાઈએ અન્ના યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં હાજરી આપવા ગુરુવારે ચેન્નાઈ પહોંચશે.
29મી જુલાઈએ તમિલનાડુથી ગુજરાત પરત ફરશે
29 જુલાઈના રોજ ગુજરાત પરત ફરશે અને ગિફ્ટ સિટી, ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક.સિટી, ગાંધીનગર ખાતે દેશનું પ્રથમ ઈન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ લોન્ચ કરશે. આ સમયગાળા દરમિયાન તેઓ ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સર્વિસ સેન્ટર ઓથોરિટીના હેડક્વાર્ટર બિલ્ડિંગનો શિલાન્યાસ પણ કરશે.
આગામી ચૂંટણીઓ વચ્ચે પીએમ મોદીની આ મુલાકાત ભાજપ માટે મહત્વની છે
ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણીઓ વચ્ચે પીએમ મોદી હાલના દિવસોમાં સતત ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે.તેઓ ગયા મહિને ગુજરાતના પ્રવાસે આવ્યાં હતા. તેમની દરેક મુલાકાતમાં તેમણે વિકાસના કામોની ભેટ આપી છે. કોઈપણ રીતે મોદી સરકારનો હેતુ દેશમાં ગુજરાત મોડલનો વિકાસ કરવાનો છે. ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણી માટે અન્ય પક્ષોની સાથે ભાજપે પણ કમર કસી લીધી છે. પીએમ મોદી ગયા મહિને ગુજરાતની મુલાકાતે આવ્યાં હતા. તેમણે રૂ. 21000 કરોડથી વધુના ખર્ચના વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો.
18 જૂને પાવાગઢ ખાતે પુનઃવિકાસિત શ્રી કાલિકા માતા મંદિરનું પણ PM મોદીએ ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે વડોદરામાં ગુજરાત ગૌરવ અભિયાનમાં ભાગ લીધો હતો. વડાપ્રધાને સુરત, ઉધના, સોમનાથ અને સાબરમતી સ્ટેશનોના પુનઃવિકાસ તેમજ રેલ્વે ક્ષેત્રના અન્ય પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કર્યો હતો. પીએમ મોદીએ માતા અને બાળકના સ્વાસ્થ્યમાં સુધારો કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીએ માતૃશક્તિ યોજનાની શરૂઆત કરી. તેના માટે 800 કરોડનો ખર્ચ કરવામાં આવશે.
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
ઉત્તરાખંડઃ કાર સેવા ડેરાના વડા બાબા તરસેમ સિંહની ગોળી મારી હત્યા – Gujarat Post | 2024-03-28 11:28:41
આજે કોર્ટમાં દારૂ કૌભાંડના નાણાંનો ખુલાસો થશે, અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતાએ કર્યો દાવો | 2024-03-28 08:30:56
બેટ દ્વારકાના દરિયામાં માછીમારો અને પાકિસ્તાન નેવીની બોટ અથડાઇ, બંને તરફથી એક-એકનું મોત | 2024-03-27 15:29:45
અમદાવાદમાં ડેરી- હોટલના વ્યવસાય સાથે સંકળાયેલા મોટા ગ્રુપ પર IT ના દરોડા, 75થી વધારે અધિકારીઓની ટીમ જોડાઇ | 2024-03-27 15:10:07
નીતિન પટેલ ફરી બગડ્યાં, કહ્યું- જેના ઘરમાં બૈરૂ પાણી પણ નથી પીવડાવતું તેવા અમને સલાહ આપે છેઃ Gujarat Post | 2024-03-27 11:18:18
Fact Check: I.N.D.I.A ગઠબંધને મંડી સીટ પર કંગના રનૌત સામે ગોવિંદાને ટિકિટ આપ્યાંનો આ દાવો ખોટો છે- Gujarat Post | 2024-03-27 11:23:23
લોકસભા ચૂંટણીઃ ભાજપે બિહાર, પશ્ચિમ બંગાળ અને મધ્ય પ્રદેશના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી- Gujarat Post | 2024-03-27 10:30:03
ગુજરાત વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણી, ભાજપે ઉમેદવારોનાં નામો કર્યાં જાહેર | 2024-03-26 15:22:40
ગાંધીનગરમાં ગૃહમંત્રી અમિત શાહ સામે અસદુદ્દીન ઓવૈસી પોતાની પાર્ટીનો ઉમેદવાર ઉતારશે | 2024-03-26 09:45:53
પૂર્વ IAS લાંગાના ભ્રષ્ટાચારનો ભોગ બનેલા 50 ખેડૂતોએ ગાંધીનગર કલેકટરને આવેદન પત્ર આપ્યું- Gujarat Post | 2024-03-22 11:49:18
પોલીસ વિભાગમાં મોટા ફેરફારો...65 ડીવાયએસપીની બદલી, 8 આઇપીએસને અપાયું પોસ્ટિંગ | 2024-03-14 19:05:29