Tue,23 April 2024,7:18 pm
Print
header

પાવાગઢ શક્તિપીઠ મહાકાળી મંદિરના શિખર પર વર્ષો પછી મોદી લહેરાવશે ધ્વજા, જાણો ઈતિહાસ અને રસપ્રદ બાબતો- Gujarat Post

અદનશાહ પીરનું ગર્ભગૃહ છત પર હોવાને કારણે મંદિરનું પુનઃનિર્માણ થઈ શક્યું નથી.

આ દરગાહ મંદિરના ગર્ભગૃહની બરાબર ઉપર બનાવવામાં આવી હતી. તેને લઈને ઘણા વર્ષોથી વિવાદ ચાલી રહ્યો હતો.

લગભગ 4 વર્ષ પહેલા દરગાહને ગર્ભગૃહમાંથી હટાવીને મંદિરના પ્રાંગણમાં જ એક ખૂણામાં બનાવવામાં આવી હતી.

PM Modi Gujarat Visit: ગુજરાતના પાવાગઢ શક્તિપીઠ સ્થિત મહાકાળી માતાના મંદિરના શિખર પર હવે વર્ષો પછી ધજા ફરકાવવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ ઐતિહાસિક કાર્યને પાર પાડશે. પીએમ મોદી 18 જૂને ગુજરાતની મુલાકાતે છે, તે જ દિવસે તેમના માતા હીરાબાનો જન્મદિવસ પણ છે. માતાના આશીર્વાદ લીધા બાદ મોદી જગત જનની મા મહાકાળીના દર્શન કરીને ધજા ફરકાવશે. આ ક્ષણ ખરેખર ઐતિહાસિક છે કારણ કે વર્ષો પછી શક્તિપીઠ પાવાગઢમાં ધજા  લહેરાવવામાં આવનાર છે.

ઘણા વર્ષોથી મંદિરનું શિખર તૂટી ગયું હતું. હિંદુ માન્યતા મુજબ તૂટેલા શિખર પર ધજા લહેરાવવામાં આવતી નથી. હવે મંદિરનું સંપૂર્ણ પુનઃનિર્માણ કરવામાં આવ્યું છે, મા મહાકાળીનો સોનાનો ઢોળ ચડાવેલો શિખર તૈયાર થઇ ગયો છે. નરેન્દ્ર મોદી પણ પહેલીવાર આ શક્તિપીઠ મંદિરમાં જઈ રહ્યાં છે. તેઓ ગુજરાતના સીએમ હતા ત્યારે પણ તેઓ આ મંદિરમાં આવ્યા ન હતા.હવે મંદિરનું શિખર તૈયાર થઈ ગયું છે ત્યારે પીએમના હસ્તે વિધી સાથે શિખર પર ધ્વજ લહેરાવવામાં આવશે.પીએમની સુરક્ષાને ધ્યાનમાં રાખીને મહાકાલી મંદિરને 16 થી 18 જૂન સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

અદાનશાહ પીરની દરગાહને કારણે મંદિરનું પુનઃ નિર્માણ થઈ શક્યું નથી.આ દરગાહ મંદિરના ગર્ભગૃહની બરાબર ઉપર બનાવવામાં આવી હતી, તેને લઈને ઘણા વર્ષોથી વિવાદ ચાલી રહ્યો હતો.આ મામલો ગુજરાત હાઈકોર્ટમાં પણ ગયો હતો, પરંતુ કોઈ ફાયદો થયો ન હતો. લાંબી વાતચીત પછી લગભગ 4 વર્ષ પહેલાં એક કરાર હેઠળ દરગાહને ગર્ભગૃહમાંથી હટાવીને મંદિરના પ્રાંગણમાં એક ખૂણામાં બનાવવામાં આવી હતી અને મંદિરનું પુનર્નિર્માણ શરૂ થયું હતું. આ ભવ્ય મહાકાલી મંદિરનું ગર્ભગૃહ સોનાનું બનેલું છે, તેના શિખરો અને યોગશાળાઓ પર 12 સોનાના ઢોળવાળા કળશ લાગ્યા છે.

પાવાગઢ ખાતે ધ્વજ ફરકાવ્યાં બાદ વડાપ્રધાન વડોદરાની મુલાકાત લેશે. વડોદરામાં તેઓ ગુજરાત ગૌરવ અભિયાનમાં ભાગ લેશે અને 8900 PM આવાસ યોજનાના મકાનોનું ઉદ્ઘાટન કરશે, વડોદરા ગતિ શક્તિ બિલ્ડિંગ અને 16,396 કરોડના રેલ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે.

અદનશાહ પીરની દરગાહ મંદિરની છત પર હતી.

પાવાગઢ ડુંગરોની તળેટીમાં ચાંપાનેર નામની જગ્યા આવેલી છે, જેની સ્થાપના મહારાજા વનરાજ ચાવડાએ તેમના બુધ્ધિમાન મંત્રી ચંપાના નામ પર વસાવ્યું હતું. આ મંદિર પર વિક્રમ સંવત 1540માં મુસ્લિમ સુલતાન મોહમ્મદ બેગડો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ મંદિરનું પુનઃનિર્માણ કનકકૃતિ મહારાજ દિગમ્બર ભાત્રકે કરાવ્યું હતું. આ મંદિર એક સમયે શત્રુંજય મંદિર તરીકે ઓળખાતું હતું. મંદિરની છત પર અદનશાહ પીરની દરગાહ હતી, જે મુસ્લિમોનું પવિત્ર સ્થળ હતું, જેને હવે આંગણાના એક ખૂણામાં ખસેડવામાં આવ્યું છે. અહીં મોટી સંખ્યામાં મુસ્લિમ શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે.

પાવાગઢનો ઈતિહાસ અને તેને લગતી રસપ્રદ બાબતો

- પાવાગઢ ગુજરાતનું પ્રખ્યાત પર્યટન સ્થળ છે.
- પાવાગઢ પર્વત પર સ્થિત શક્તિપીઠ 52 શક્તિપીઠોમાંથી એક છે.
- પાવાગઢની ટેકરી પર મા કાલીનું પ્રાચીન મંદિર આવેલું છે.
- અહીં ઋષિ વિશ્વામિત્રે માતા કાલી માટે ઘોર તપસ્યા કરી હતી.
- પાવાગઢની ઊંચાઈ દરિયાની સપાટીથી લગભગ 762 મીટર છે.
- આ શક્તિપીઠ સુધી પહોંચવા માટે રોપ-વે અને સીડી બંનેની સુવિધા ઉપલબ્ધ છે.
- દર વર્ષે માધ માસની શુક્લ પક્ષ ત્રયોદશીના દિવસે અહીં ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવે છે.
- કહેવાય છે કે અહીં લવ અને કુશને મોક્ષ પ્રાપ્ત થયો હતો.
- પાવાગઢ જૈન સંપ્રદાય માટે પણ ઘણું મહત્વ ધરાવે છે.
- પાવાગઢની ગોદમાં આવેલું ચાંપાનેર શહેર પ્રાચીન ગુજરાતની રાજધાની ગણાય છે.
- આ સ્થળને 2004માં વિશ્વ સંસ્થા યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજની યાદીમાં સામેલ કરવામાં આવ્યું હતું.

શું છે પાવાગઢના રાવલ રાજાની વાર્તા

પાવાગઢ વડોદરાથી લગભગ 46 કિમી દૂર ટેકરી પર આવેલું છે. માતા કાલી અહીં એક ઊંચા શિખર પર બિરાજમાન છે. ધાર્મિક અને ઐતિહાસિક રીતે મહત્વપૂર્ણ આ સ્થાન રાવલ વંશના શાસક સાથે પણ સંકળાયેલું છે, લોકવાયકાઓ અનુસાર, નવરાત્રિ પર્વ દરમિયાન એકવાર મા કાલી એક સુંદર સ્ત્રીનું રૂપ ધારણ કરીને ગરબામાં ભાગ લે છે. ત્યાંના રાજાએ ગરબા કરતી સુંદર સ્ત્રી પર ખરાબ નજર નાખી હતી, જેને પરિણામે માતાએ તેને શ્રાપ આપ્યો, આથી તેનું રાજ્ય છિન્ન ભિન્ન થઇ ગયું.આના થોડા સમય બાદ મોહમ્મદ બેગડાએ પાવાગઢ જીતી લીધું હતું.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch