નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમના 123માં એપિસોડમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની સફળતાનો ઉલ્લેખ કર્યો હતો. ઉપરાંત કટોકટીના 50 વર્ષ પૂરા થવા પર પણ પોતાના વિચારો શેર કર્યા હતા. પીએમ મોદીએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો પણ ઉલ્લેખ કર્યો હતો.
વડાપ્રધાને કહ્યું કે, આ મહિને આપણે સૌએ 'વિશ્વ પર્યાવરણ દિવસ' ઉજવ્યો. મને તમારા હજારો સંદેશા મળ્યાં. ઘણા લોકોએ પોતાના આસપાસના એવા સાથીઓ વિશે જણાવ્યું જેઓ એકલા જ પર્યાવરણ બચાવવા નીકળી પડ્યાં હતા અને પછી તેમની સાથે આખો સમાજ જોડાઈ ગયો.
વડાપ્રધાને અમદાવાદમાં થયેલી પર્યાવરણ સંબંધિત સુંદર પહેલનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, અમદાવાદમાં પર્યાવરણ માટે એક વધુ સુંદર પહેલ જોવા મળી છે. અહીં નગર નિગમે મિશન ફોર મિલિયન ટ્રીઝ અભિયાન શરૂ કર્યું છે. તેનો લક્ષ્ય છે- લાખો વૃક્ષો વાવવા. આ અભિયાનની એક ખાસ વાત છે 'સિંદૂર વન'. આ વન ઓપરેશન સિંદૂરના વીરોને સમર્પિત છે.
તેમણે પર્યાવરણ સંરક્ષણ માટે વ્યક્તિગત પ્રયાસોનું ઉદાહરણ આપતા કહ્યું, પુણેના રમેશ ખરમાલેજીના કાર્યો જાણીને તમને ઘણી પ્રેરણા મળશે, જ્યારે સપ્તાહના અંતે લોકો આરામ કરે છે ત્યારે રમેશજી અને તેમનો પરિવાર કોદાળી અને પાવડો લઈને જુન્નરની ટેકરીઓ તરફ નીકળી પડે છે. ત્યાં તેઓ ઝાડીઓ સાફ કરે છે અને પાણી રોકવા માટે ખાડા ખોદે છે અને બીજ વાવે છે. તેમણે ઘણા નાના તળાવો બનાવ્યાં છે અને વૃક્ષો વાવ્યાં છે. તેઓ એક ઓક્સિજન પાર્ક પણ બનાવી રહ્યાં છે. તેનું પરિણામ એ આવ્યું છે કે હવે ત્યાં પક્ષીઓ પાછા ફરવા લાગ્યા છે અને વન્યજીવનને નવા શ્વાસ મળી રહ્યાં છે.
In the 123rd Episode of Mann Ki Baat, Prime Minister Narendra Modi says, "Municipality in Ahmedabad is running 'Mission for Million Trees' with the aim to plant millions of trees. The forest is dedicated to the heroes of Operation Sindoor. The trees are dedicated to the brave… pic.twitter.com/zhKrmbUktS
— ANI (@ANI) June 29, 2025
ચોટીલાના PI-PSI સહિત 4 પોલીસકર્મી સસ્પેન્ડ; સુરેન્દ્રનગર LCBમાં પણ મોટા પાયે બદલીઓનો ગંજીપો ચીપાયો | 2026-06-12 18:19:56
અમદાવાદ: પેરોલ પર છૂટેલા કુખ્યાત મોન્ટુ નામદારે પોલીસ સ્ટેશન બહાર જ પોલીસકર્મીને આપી જાનથી મારી નાખવાની ધમકી | 2026-06-12 18:09:58
લાખણીના કૂવાણા ગામે જેતડા-દિયોદર હાઈવે પર ધોળા દિવસે સનસનાટીભરી હત્યા | 2026-06-12 18:03:39
અમદાવાદ વિમાન દુર્ઘટનાને એક વર્ષ પૂર્ણ, 260 લોકોનાં મોત અંગે AAIB ના અંતિમ રિપોર્ટની હજુ પણ રાહ જોવાઈ રહી છે | 2026-06-12 14:34:46
સુરતમાં એક કારમાંથી યુવકની લાશ મળી, પાંચ દિવસથી ગુમ હતો આ વ્યક્તિ | 2026-06-12 09:27:40
ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી, ભાજપના ચારેય ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા | 2026-06-11 16:38:45
AAP નેતા જિગીષા પટેલની ચીમકી, ભાજપ નેતા ગુંડાગીરી બંધ નહીં કરે તો બાંયો ચઢાવવી પડશે | 2026-06-07 10:47:25
દિલ્હીમાં કોકરોચ જનતા પાર્ટીનું વિરોધ પ્રદર્શન: શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ, સોનમ વાંગચુક પણ પહોંચ્યાં | 2026-06-06 17:40:52
ભાજપે ગુજરાતની 4 રાજ્યસભા બેઠકો માટે ઉમેદવારો જાહેર કર્યા, જાણો વધુ વિગતો | 2026-06-04 18:24:30
પ્રાંતિજ નગરપાલિકામાં ભાજપના 15 કોર્પોરેટરોના સામૂહિક રાજીનામા: મહિલા પ્રમુખ અને તેમના પતિની મનમાની સામે બળવો | 2026-06-01 17:23:39
સરકારનો મોટો નિર્ણય, આ ગ્રાહકો હવે પેટ્રોલ પંપ પરથી પેટ્રોલ અને ડીઝલ મેળવી શકશે નહીં | 2026-06-12 09:13:31
યુએસ મિસાઇલ હુમલામાં હિમાચલના આદિત્ય શર્માનું મોત, જહાજ પર કેડેટ તરીકે ફરજ બજાવતા હતા | 2026-06-11 20:56:07
મણિપુરમાં નાગા સમુદાયના છ મૃતદેહો મળી આવતાં હડકંપ, ઇમ્ફાલમાં ફરી હિંસા ભડકી | 2026-06-11 08:50:34
ઉજ્જવલા યોજનાના નિયમો બદલાયા, 10 કરોડ પરિવારોને ઝટકો, LPG અંગે સરકારનો મોટો નિર્ણય | 2026-06-09 13:03:24
જલગાંવમાં કાર, બાઇક, એસટી બસ વચ્ચે અકસ્માતમાં 5 ગુજરાતીઓનાં મોત | 2026-06-09 12:44:15