સમાજ માટે ચિરાગ પટેલ, અતુલ પટેલ, રેશ્મા પટેલ, અલ્પેશ કથિરિયા, દિનેશ બાંભણિયા અને કેતન પટેલે પણ લડત આપી હતી
મહેશ પટેલ, એડિટર
અમદાવાદઃ ચૂંટણીઓ આવતા જ જે તે સમાજના આગેવાનો પોતાની માંગો મજબૂત કરવા કંઇકને કંઇ કરતા હોય છે આજે પાટીદાર સમાજે કડવા અને લેઉવાની જગ્યાએ માત્ર પટેલોની ઓળખ પાટીદાર તરીકેની રહેશે તેવું નક્કિ કરી દીધુ, મા ખોડલના પવિત્ર સ્થળ ખોડલધામમાં મળેલી પાટીદાર સમાજના અગ્રણીઓની બેઠક એક ઇશારો કરે છે કે હવે પાટીદાર સમાજ એક થઇને લડશે, સમાજની અનેક માંગો અધૂરી છે ખેડૂતો અને શિક્ષણ સહિતના મુદ્દે સમાજ આગળ આવી રહ્યો છે.ખોડલધામના અગ્રણી નરેશ પટેલ સહિત સમાજના આગેવાનોની આ બેઠક ભાજપ માટે પણ ચિંતા વધારી રહી છે સરકારનું આખું આઇબી તંત્ર આ બેઠક પર જ નજર રાખી રહ્યું છે અને હવે પછીની ગતિવિધીઓ પર નજર રહેશે.
પાટીદાર અનામત આંદોલનની યાદ
આ બધાની વચ્ચે હવે ફરીથી પાટીદાર અનામત આંદોલનના દિવસો તાજા થયા છે કોંગ્રેસ અને પાટીદાર નેતા હાર્દિક પટેલે ખોડલધામની બેઠક પછી ફેસબુક પર એક પોસ્ટ કરી કે મે અને મારી ટીમે જે બીજ વાવ્યું હતુ તે વટવૃક્ષ બનશે. હાર્દિક પટેલે ત્યારે પણ બધા પાટીદારોને એક થવાની વાત કરી હતી પોતાના સમાજની માંગો માટે ભાજપ સરકાર સામે મોટી લડત શરૂ કરી હતી, જેમાં પાટીદાર સમાજે અનેક યુવાનો ગુમાવ્યાં છે અનેક પરિવારોએ પોતાના પુત્રો ગુમાવ્યાં છે, યુવાનો પર આજદિન સુધી પોલીસ કેસ છે અને સરકારે તમામ કેસ પાછા લેવાની વાતો કરીને સમાજને ગુમરાહ કર્યો છે. જો કે હવે રહી રહીને સમાજના વડીલોએ યુવાઓની અગાઉની માંગોને આગળ વધારવાનું નક્કિ કર્યું હોય તેમ લાગી રહ્યું છે.
હાર્દિક પટેલના સાથીઓનું મોટું યોગદાન
હાર્દિક પટેલની આજની પોસ્ટ મહત્વની એટલા માટે છે કે પાટીદાર સમાજમાં એક લડાઇની શરૂઆત હાર્દિક પટેલ અને તેમના સાથીઓએ કરી હતી પરંતુ સમય જતા આખું અનામત આંદોલન તોડી પાડવામાં ભાજપ સફળ રહ્યું હતુ, જો કે હાર્દિક પટેલ પણ જાતે કોંગ્રેસમાં જોડાઇ ગયા, આ એ જ કોંગ્રેસ છે કે જેને વર્ષો પહેલા ભાજપની જેમ જ પાટીદારો પર દંડા વરસાવ્યાં હતા, વાત જે પણ હોય પરંતુ રાજનીતિના રંગ સમય સાથે બદલાતા રહે છે. પરંતુ હાર્દિક પટેલે તેમના સાથીઓના નામ ન ભૂલવા જોઇએ જેમને ખભાથી ખભો મિલાવીને લડત કરીને સમાજને બિન અનામત આયોગ સહિતની મોટી ભેટ આપી છે, જેનાથી સમાજના અનેક લોકોને રોજગારી મળી છે અનેક વિદ્યાર્થીઓ વિદેશ અભ્યાસ માટે જઇ શક્યાં છે, હાર્દિક પટેલે આજની પોસ્ટમાં લખ્યું છે કે મેં અને મારી ટીમની આ મહેનત છે. હાર્દિકે અલગ થયા પછી ક્યારેય તેમના સાથી ચિરાગ પટેલ કે જેઓ હાલમાં ભાજપમાં છે, કેતન પટેલ, અતુલ પટેલ (કોંગ્રેસ) દિનેશ બાંભણિયા અને રેશ્મા પટેલ(એનસીપી) સાથે કોઇ ખાસ સબંધો નથી રાખ્યાં, બાદમાં સુરતમાં લડાઇ આપનાર અલ્પેશ કથિરિયા સાથે પણ અનબનાવની વાત ચર્ચાઇ હતી, પરંતુ આજનો મોકો એવો હતો કે હાર્દિકે તેમના જૂના સાથીઓનો નામ સાથે આભાર માન્યો હોત તો કદાચ સમાજની લડાઇઓ મજબૂત બનવાની એક નવી શરૂઆત હોત અને હાર્દિકનું નેતા તરીકેનું કદ પણ થોડું વધ્યું હોત.
છેલ્લા ઘણા સમયથી પાસ વિખેરાઇ ગયું છે તેના નેતાઓ જુદી જુદી પાર્ટીઓ સાથે જોડાઇ ગયા છે. જો કે પાટીદાર સમાજે માત્ર હાર્દિક પટેલની જગ્યાએ તેમની પુરી ટીમનો આભાર માનવો રહ્યો, કારણ કે ચિરાગ પટેલ અલ્પેશ કથિરિયા, કેતન પટેલ જેવા નેતાઓ હાર્દિક સાથે રાજદ્રોહના કેસમાં જેલમાં જ હતા, રેશ્મા અને અતુલ પટેલ, દિનેશ બાંભણિયા પર પણ પોલીસ કેસ થયા છે. એક રીતે હાર્દિકના બધા જ સાથીઓ અને તેમના પરિવારે પણ પાટીદાર સમાજ માટે બલીદાન આપ્યું કહી શકાય. આ લડાઇ આંદોલન ચાલી રહ્યું હતુ ત્યાર પુરતી જ કહી શકાય, કેમ કે પછીથી પાસના બધા નેતાઓના રસ્તા બદલાઇ ગયા છે. જો કે આ નેતાઓ હવે ક્યારેક એક થાય તેવું રાજકીય પાર્ટીઓ ઇચ્છી રહી છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ન મળી રાહત, EDના રિમાન્ડ 1 એપ્રિલ સુધી લંબાવ્યા | 2024-03-28 17:41:01
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
બેટ દ્વારકાના દરિયામાં માછીમારો અને પાકિસ્તાન નેવીની બોટ અથડાઇ, બંને તરફથી એક-એકનું મોત | 2024-03-27 15:29:45
આજે કોર્ટમાં દારૂ કૌભાંડના નાણાંનો ખુલાસો થશે, અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતાએ કર્યો દાવો | 2024-03-28 08:30:56
Fact Check: I.N.D.I.A ગઠબંધને મંડી સીટ પર કંગના રનૌત સામે ગોવિંદાને ટિકિટ આપ્યાંનો આ દાવો ખોટો છે- Gujarat Post | 2024-03-27 11:23:23
નીતિન પટેલ ફરી બગડ્યાં, કહ્યું- જેના ઘરમાં બૈરૂ પાણી પણ નથી પીવડાવતું તેવા અમને સલાહ આપે છેઃ Gujarat Post | 2024-03-27 11:18:18