(ફાઇલ ફોટો)
ગાંધીનગરઃ પાટીદાર અનામત આંદોલન વખતે સરકારે અનેક પાટીદાર આગેવાનો પર રાજદ્ગોહના કેસ કર્યાં હતા, જેમાં હવે સૌથી મોટો સમાચાર સામે આવ્યાં છે, સરકારે હાર્દિક પટેલ, ચિરાગ પટેલ, દિનેશ બાંભણિયા, અલ્પેશ કથિરિયા સહિતના આગેવાનો પર જે રાજદ્રોહના કેસ હતા, તે સરકારે પરત ખેંચી લીધા છે. જેમાં ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલે સરકારનો આભાર માન્યો છે, જો કે હજુ પણ અનેક આંદોલનકારીઓ પર કેસો ચાલી રહ્યાં છે, આ માત્ર આગેવાનોને રાહત આપવામાં આવી છે.
બીજી તરફ એસપીજીના નેતા લાલજી પટેલે સરકાર સમક્ષ માંગ કરી છે કે અન્ય પાટીદાર યુવાનો પર થયેલા પોલીસ કેસ પણ પાછા ખેંચવામાં આવે.
7 જુલાઇ 2015 ના દિવસે પાટીદારોને અનામત મળે તે માટે ઉગ્ર આંદોલન કરાયું હતુ, જેમાં અમદાવાદ, સુરત, મહેસાણા સહિતના ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં સરકાર સામે રોષ દેખાયો હતો, આ આંદોલનમા પાટીદાર સમાજના 14 યુવાનોના મોત થયા હતા, તે વખતે ભાજપ સરકારે અનેક નેતાઓને જેલમાં પુરી દીધા હતા અને રાજદ્રોહના કેસ કર્યાં હતા, જો કે હવે વર્ષો પછી આ કેસ પાછા ખેંચવામાં આવ્યાં છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
गुजरात में हुए पाटीदार आंदोलन के दौरान मेरे समेत समाज के अनेक युवाओं पर लगे गंभीर राजद्रोह समेत के मुक़दमे आज भूपेंद्र भाई पटेल की सरकार ने वापिस लिए है। मैं समाज की ओर से गुजरात की भाजपा सरकार का विशेष आभार व्यक्त करता हूँ।
— Hardik Patel (@HardikPatel_) February 7, 2025
पाटीदार आंदोलन से गुजरात में बिन आरक्षित वर्गों के…
ડાંગમાં સાપુતારા નજીક માતાજીના દર્શન કરીને પરત ફરતા પરિવારને નડ્યો ભયંકર અકસ્માત, 6 લોકોના મોત | 2025-12-09 09:11:39
ગુજરાત ATS ને મોટી સફળતા, રાજસ્થાનની એક ફેક્ટરીમાંથી 2 કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડ્યું | 2025-12-08 14:44:42
ખોડલધામમાં લેઉવા પાટીદાર સમાજનું શક્તિ પ્રદર્શન: જગદીશ પંચાલે નરેશ પટેલની સરદાર સાથે કરી સરખામણી | 2025-12-07 11:47:51
જામનગરમાં વધુ એક કાર્ડિયાક કૌભાંડ: ઓશવાળ આયુષ હોસ્પિટલને રૂ.1.26 કરોડનો દંડ, ડૉક્ટર સસ્પેન્ડ | 2025-12-07 11:41:27
ગુજરાતમાં જોરદાર ઠંડીનો ચમકારો: આવતીકાલથી પારો વધુ ગગડશે- Gujarat Post | 2025-12-07 11:38:46
હવે ભાજપનું જીગ્નેશ મેવાણી પર હલ્લાબોલ, પીએમ મોદીના માતાને લઇને વિવાદીત ટિપ્પણીનો આરોપ | 2025-12-02 16:24:18
ગુજરાત પોલીસમાં મેગા ભરતીની થઈ સત્તાવાર જાહેરાત, 13 હજારથી વધુ ખાલી જગ્યાઓ ભરાશે | 2025-11-30 13:37:39
રાજ્ય સરકારે મહેસૂલ વિભાગના 39 મામલતદારોની બદલી કરી | 2025-11-21 08:50:30
કમોસમી વરસાદથી અસરગ્રસ્ત ખેડૂતો માટે મહત્વની જાહેરાત, સહાય માટે આ તારીખથી કરી શકશે ઓનલાઇન અરજી | 2025-11-13 16:00:39
અત્યાર સુધી સરકાર ઊંઘમાં હતી ! અગાઉના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના રાજમાં થયેલી ગેરરીતીઓ ઉજાગર કરવાની જવાબદારી હવે પાનશેરિયાને મળી ! | 2025-11-13 10:30:44