Thu,25 April 2024,7:08 pm
Print
header

ભાજપના મતદારો મુર્ખાઓ છે ! કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીના આ નિવેદન સામ આક્રોશ

મતદારોને મુર્ખઓ કહીને પરેશ ધાનાણીએ દેશના નાગરિકોનું અપમાન કર્યુઃ યજ્ઞેશ દવે

ભાજપને મત આપનાર મુર્ખાઓને ભાજપ અડઘી કિંમતે પેટ્રોલ આપેઃ પરેશ ધાનાણી

મોંઘવારીના વિરોધ પ્રદર્શનમાં ધાનાણીએ મંચ પરથી મતદારોને મુર્ખ કહ્યાં

સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થતા પરેશ ધાનાણી ફસાયા

અમદાવાદઃ મોદી સરકારના રાજમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં ભડકો થયો છે. સામાન્ય પ્રજા મોંઘવારીનો મોટો માર સહન કરી રહી છે. જેમાં આજે કોંગ્રેસે મોંઘવારીને લઇને ભાજપ સરકાર સામે આંદોલન શરૂ કર્યું છે. અમદાવાદ સ્થિત કોંગ્રેસ ભવન ખાતે એક સભાના સંબોધન દરમિયાન વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ વિવાદાસ્પદ નિવેદન આપી દીધું છે. તેમણે પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા સંદર્ભમાં કહ્યું કે ભલે કોંગ્રેસના કાર્યકરોને પેટ્રોલ સસ્તુ ન આપો પણ ભાજપ તેને મત આપનાર મુર્ખા મતદારોને અડધી કિંમતમાં પેટ્રોલ આપે. જેથી આ મામલે રાજકારણમાં ગરમાવો આવ્યો છે. 

ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવેએ જણાવ્યું કે ગુજરાત અને ભારતના નાગરિકો જેણે ભાજપને મત આપ્યો તેવા મારા દેશના કરોડો નાગરિકોને પરેશ ધાનાણી મૂર્ખાઓ કહી છે. આજે તમને જે મત મળે છે એટલા વોટમાં તો તમે જીતી શકતા નથી, જીતવા માટે દેશના એ જ નાગરિકોની જરૂર પડશે જેને આ ધાનાણી મૂર્ખા કહે છે આ દેશના નાગરિકોનું અપમાન છે, આ મામલે ભાજપ પરેશ ધાનાણી સામે રાજ્યવ્યાપી રાજકીય આંદોલન છેડવાની તૈયારીમાં છે. આ મામલે ધાનાણી સામે ભાજપે અને નાગરિકોએ રોષ વ્યક્ત કર્યો છે આ મુદ્દે હવે રાજનીતિ ગરમાઇ છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch