Wed,24 April 2024,12:54 pm
Print
header

ખુરશીની ઘાંણી, પ્રજા સલવાણીઃ ધાનાણીએ મુખ્યમંત્રીની ખુરશી બદલવાને લઇને કહી આ વાત

ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોના વાયરસે કાળો કહેર મચાવ્યો છે. તેમાં પણ અમદાવાદ અને સુરતની સ્થિતિ સૌથી ચિંતાજનક છે. આ દરમિયાન ગુજરાત કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ ટ્વીટ કરીને વિજય રૂપાણી સરકાર પર પ્રહાર કર્યાં છે. 

ધાનાણીએ ટ્વીટ કરીને લખ્યું છે કે ખુરશીની ઘાંણી, પ્રજા સલવાણી" હવે કાળમુખા કોરોનાએ સમગ્ર ગ્રામીણ ગુજરાતને ભરડો લીધો છે છતા હાલ ઇન્જેક્સન ઓક્સિજન-એમ્બ્યુલન્સ-લેબ, ડોકટર, વેન્ટિલેટર તથા દવાખાને ઉભી કરેલી ખાટલાની અછતથી, શું ગામે ગામના મહાણે મોતનુ તાંડવ રચી અને માત્ર "મુખ્યમંત્રી"ને બદલવાનું બહાનું શોધાઈ રહ્યું છે ?

ગઈકાલે ગુજરાત કોંગ્રેસના નેતા હાર્દિક પટેલે સોશિયલ મીડિયા દ્વારા મુખ્યમંત્રીને કોરોના મહામારીમાં કોંગ્રેસને પણ મદદ કરવા દેવાની વિનંતી કરી હતી. હાર્દિક પટેલે ફેસબુક પર પોસ્ટ શેર કરીને લખ્યું કે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, હું આપને વિનંતી કરું છું કે કોરોના મહામારીમાં ગુજરાતની જનતાને બચાવો અને તેમની મદદ કરો. ગુજરાતમાં અમારી પાર્ટી કોંગ્રેસ પાસે 65 ધારાસભ્ય છે તો અમને પણ કામ બતાઓ, જેથી અમે જનતાના હિત માટે સરકારની મદદ કરી શકીએ. આવી અણધારી મહામારીમાં સરકાર અને વિપક્ષે સાથે મળીને જનતાનું કામ કરવું જોઈએ, સરકાર અમને અને અમારા ધારાસભ્યોને જે પણ આદેશ આપશે સાથે મળીને લોકોનું કામ કરીશું. લોકો ખૂબ જ તકલીફમાં છે, અભિમાન છોડો અને જનતાનું વિચારો.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch