Thu,18 April 2024,9:02 pm
Print
header

પાકિસ્તાની આતંકવાદીની ધર્મના નામે ઉશ્કેરણી, સલાઉદ્દીને કહ્યું મુસ્લિમો પર અત્યાચારનું પરિણામ કોરોના વાઇરસ !

ઇસ્લામાબાદઃ કોઇને કોઇ રીતે ભારત સામે ઝેર ઓકી રહેલી પાકિસ્તાન સરકાર અને તેના આતંકવાદીઓ હવે કોરોના વાઇરસના નામે લોકોની ઉશ્કેરણી કરી રહ્યાં છે. પાકિસ્તાનમાં સક્રિય આતંકવાદી સંગઠન હિઝબુલ મુઝાહિદ્દીનનો ચીફ આતંકવાદી સૈયદ સલાઉદ્દીન કહી રહ્યો છે કે દુનિયામાં મુસ્લિમો પર અત્યારનું પરિણામ છે કોરોના વાઇરસ, મુસ્લિમો પર જુલમ થતા આ બિમારી ફેલાઇ રહી છે. કાશ્મીરના લોકો પર વડાપ્રધાન મોદીએ જુલમ કર્યો છે, જેથી હવે ભારત પણ કોરોનાથી બચી શકશે નહીં. 

5 મીનિટના ઓડિયો સંદેશમાં ખતરનાક આતંકવાદી સલાઉદ્દીને કોરોનાને ધર્મ સાથે જોડીને લોકોની ઉશ્કેરણીનું કામ કર્યું છે, તે કહી રહ્યો છે કે ભારતમાં રોહિંગ્યા મુસ્લિમો, પેલેસ્ટાઇન અને કાશ્મીરમાં મુસ્લિમો પર અત્યાચાર થયા છે. જેનું પરિણામ દુનિયા આખી ભોગવી રહી છે. હવે બધુ ખુદા પર નિર્ભર છે, આ એ જ આતંકવાદી જેને કાશ્મીરમાં અનેક હુમલા કરાવ્યાં છે, પાકિસ્તાનમાંથી આતંકવાદીઓને ટ્રેનિંગ આપીને ભારતમાં મોકલી રહ્યો છે. અગાઉ પણ તે ભારત વિરુદ્ધ અનેક ષડયંત્રો કરી ચુક્યો છે. નોંધનિય છે કે પાકિસ્તાનમાં પણ કોરોના વાઇરસે કહેર વર્તાવ્યો છે, જેના પર આ આતંકવાદીએ ખાસ નિવેદન નથી આપ્યું અને ધર્મના નામે દુનિયાને ગુમરાહ કરી રહ્યો છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch