(ફાઈલ તસવીર)
અમદાવાદઃ કોરોના મહામારીએ ગુજરાત મોડલની પોલ ખોલી નાંખી છે. લોકડાઉનને કારણે નોકરી- ધંધા ભાંગી પડતાં વાલીઓ તેમના સંતાનોને ખાનગી શાળામાંથી નામ કમી કરાવીને સરકારી સ્કૂલોમાં પ્રવેશ લેવા મજબૂર બન્યાં છે. રાજ્યામાં પાંચ લાખ વિદ્યાર્થીઓએ ખાનગી શાળા છોડીને સરકારી સ્કૂલોમાં પ્રવેશ લીધો છે.
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ પ્રમાણે, માર્ચ 2020માં કોવિડ-19ની શરૂઆત થઈ ત્યારથી લઈ આજ સુધીમાં પાંચ લાખ વિદ્યાર્થીઓ ખાનગી શાળા છોડી ચુક્યાં છે અને તેમને સરકારી શાળામાં પ્રવેશ લીધો છે. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા મેઇનટેન કરવામાં આવતાં ડેટા મુજબ 2020-21માં 2.82 લાખ વિદ્યાર્થીઓએ ખાનગીમાંથી સરકારી સ્કૂલમાં પ્રવેશ લીધો હતો. 3.31 લાખ વિદ્યાર્થીઓએ આ સમયગાળા દરમિયાન ગ્રાંટ ઈન એઇડ સ્કૂલમાં પ્રવેશ લીધો હતો.ચાલુ વર્ષે ઓગસ્ટ સુધીમાં 2.27 લાખ વિદ્યાર્થીઓ સરકારી સ્કૂલમાં દાખલ થયા છે. આમ કુલ પાંચ લાખથી વધુ વિદ્યાર્થીઓ ખાનગી શાળા છોડીને સરકારી શાળામાં દાખલ થયા છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સ્કૂલ બોર્ડના એડમિનિસ્ટ્રેટર લગદીર દેસાઈના જણાવ્યાં મુજબ શહેરમાં 8500 વિદ્યાર્થીઓ ખાનગી સ્કૂલમાંથી એએમસી સ્કૂલમાં શિફ્ટ થયા છે. મફત શિક્ષણ, ઈન્ફ્રાસ્ટ્રકચરમાં સુધારો અને ઈંગ્લીશ મીડિયમ સ્કૂલની શરૂઆતને કારણે આ બદલાવ આવ્યો છે. ગુજરાત રાજ્ય ગ્રાંટ ઈન એઈડ સ્કૂલ મેનેજમેન્ટ એસોસિએશનનાના પ્રેસિડેંટ ભાસ્કર પટેલે કહ્યું કે કોરોના કાળમાં ઘણા લોકોની રોજી રોટી છીનવાઇ ગઇ છે. વાલીઓની ફી ભરવાની ક્ષમતા રહી નથી અને ભાજપ સરકાર કહે છે બધુ બરાબર છે.
એક્સપર્ટના કહેવા મુજબ, મહામારીમાં અનેક લોકોના જીવ ગયા અને ઘણા પરિવારોની આર્થિક સ્થિતિ કથળી ગઇ છે. ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં લોકોની આવકને મોટો ફટકો પડ્યો છે. ખાનગી શાળામાં વાર્ષિક ફી સરેરાશ 15 થી 30 હજાર હોય છે, તેની સામે ગ્રાન્ટ ઈન એઈડ સ્કૂલમાં ફી રૂપિયા 600 તથી 900 છે. જ્યારે સરકારી સ્કૂલોમાં કોઈ ફી નથી.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
પાકિસ્તાનમાં X પર પ્રતિબંધનો કેસ, હાઈકોર્ટે સરકારને એક સપ્તાહમાં નિર્ણય પાછો ખેંચવા આપ્યો આદેશ | 2024-04-17 18:20:40
અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર કાર ટ્રેલર પાછળ ઘુસી જતાં 10 લોકોનાં મોત- Gujarat Post | 2024-04-17 16:08:22
અદ્ભભૂત ક્ષણ....રામલલ્લાનું સૂર્ય તિલક, અનોખી છાયા જોઈને રામભક્તો મંત્રમુગ્ધ થઇ ગયા | 2024-04-17 14:21:00
પદ્મિની બાએ સંતો-સમાજના આગેવાનોની સમજાવટ બાદ કર્યા પારણા, ભાજપના નેતાઓએ છેતરપિંડી કર્યાના આક્ષેપ | 2024-04-17 09:40:50
ઇઝરાયેલે બદલો લઇ લીધો...દક્ષિણ લેબનોનમાં હવાઈ હુમલામાં હિઝબુલ્લાહના ટોચના કમાન્ડર સહિત ત્રણને ઠાર કર્યાં | 2024-04-17 09:35:07
વૈશ્વિક કક્ષાના સુરતના ડાયમંડ બોર્સને લોકો ભૂતિયું બિલ્ડિંગ કહેવા લાગ્યા, જાણો શું છે કારણ ? | 2024-04-17 08:20:49
સાયબર ક્રાઈમ બ્રાન્ચના નકલી ઓફિસર બનીને છેતરપિંડી કરનારા આરોપીઓની ધરપકડ, ઉદ્યોગપતિને નકલી નોટિસ મોકલી હતી | 2024-04-17 08:02:16
ACB ટ્રેપઃ ગાંધીનગરની આ પંચાયતના તલાટી કમ મંત્રીએ માંગી હતી રૂ.2 લાખની લાંચ, રૂ.50 હજાર લેતા ઝડપાયા | 2024-04-16 20:36:58
અંદાજે 500 વર્ષો બાદ અયોધ્યાના રામ મંદિરમાં રામનવમીની ઉજવણી, રામલલ્લાનો થશે સૂર્ય અભિષેક | 2024-04-17 08:59:29