Mon,13 April 2026,2:02 pm
Print
header

આ ભારતની તાકાત છે...જુઓ પીઓકેમાં તબાહીની આ તસ્વીરો, 100 આતંકવાદીનો સફાયો

  • Published By
  • 2025-05-07 09:00:38
  • /

પીઓકેઃ ભારતીય વાયુસેનાએ રાત્રે 1.30 વાગ્યે પીઓકેમાં એર સ્ટ્રાઇક કરી છે, ભારતીય સેનાના રાફેલ, સુખોઇ જેવા ફાઇટર જેટ અંદાજે 100 કિ.મીટર અંદર જઇને પીઓકેમાં આતંકવાદીઓના અડ્ડાઓ પર મિસાઇલ હુમલો કરવામાં સફળ રહ્યાં છે.

એક અંદાજ મુજબ 100 જેટલા આતંકવાદીઓ આ હુમલામાં માર્યાં ગયા છે અનેક ઘાયલ પણ થયા છે, હવે ભારતના આ હુમલા બાદ અહીંની કેટલીક તસ્વીરો સામે આવી છે, જેમાં તબાહી સ્પષ્ટ દેખાઇ રહી છે.

વિશ્વની નજર આજે આ સમાચારો પર છે, ભારતે પહેલગામ હુમલા બાદ આતંકવાદીઓને ઠાર કરી નાખ્યાં છે, પાકિસ્તાની સેના ઉંઘી હતી અને ભારતે ઘરમાં ઘૂસીને એર સ્ટ્રાઇક કરી નાખી છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch