મહેસાણાઃ જિલ્લાના સતલાસણા તાલુકાના સુદાસણા ગામે એક ખૂબ જ દુઃખદ ઘટના બની હતી. ગામની કન્યાશાળાના મુખ્ય શિક્ષક અને બૂથ લેવલ ઓફિસર (BLO) તરીકે ફરજ બજાવતા દિનેશ રાવળનું હૃદયરોગના તીવ્ર હુમલાથી નિધન થયું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ચૂંટણી સંબંધિત એસઆઈઆર (SIR)ની ઓનલાઈન કામગીરી ચાલી રહી હતી. જો કે, દિવસે નેટ કનેક્ટિવિટીની (સર્વર) સમસ્યાના કારણે તેઓ આ કામ સમયસર કરી શકતા ન હતા. પોતાની ફરજ પ્રત્યેની નિષ્ઠાને કારણે, દિનેશભાઈ રાવળ રાત્રે લગભગ 2 વાગ્યા સુધી જાગીને આ કામગીરી પૂર્ણ કરી રહ્યાં હતા.
તે જ સમયે, તેમને છાતીમાં તીવ્ર દુખાવો ઉપડ્યો હતો. પરિવારજનો તાત્કાલિક તેમને સારવાર માટે વડનગર લઈ ગયા, પરંતુ કમનસીબે રસ્તામાં જ તેમનું મોત નીપજ્યું હતું. મૃતક દિનેશકુમાર મેલાભાઈ રાવળ સુદાસણા પ્રાથમિક કન્યાશાળાના આચાર્ય હતા અને તેઓ 17 જાન્યુઆરી, 2001થી શાળામાં સેવા આપી રહ્યાં હતા. તેઓ સુદાસણાના ભાગ નંબર 3, બૂથ નંબર 38 પર BLO તરીકે ફરજ બજાવતા હતા.
શાળાના આચાર્ય ગોવિંદસિંહ બારડે માહિતી આપતા જણાવ્યું કે, આ દુઃખદ ઘટનાથી સુદાસણા ગામની શાળા તેમજ સમગ્ર ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં આ પહેલા ચાર બીએલઓના ચૂંટણી કામગીરી દરમિયાન મોત થઈ ચુક્યાં છે.
યુરોપના નામે લીબિયા લઇ ગયા: મહેસાણાનો પરિવાર બંધક, એજન્ટોએ માંગી રૂ. 2 કરોડની ખંડણી | 2025-12-12 19:05:17
અમદાવાદમાં લાગી આગ, સાયન્સ સિટીમાં 50 લોકોને બચાવી લેવાયા | 2025-12-12 18:46:49
મનરેગાનું નામ બદલીને પૂજ્ય બાપુ ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના થશે, કેબિનેટમાં મંજૂરી | 2025-12-12 18:41:25
વીડિયો દ્વારા વિશ્વાસ જીત્યો.. શેરબજારમાં મોટી કમાણી કહીને વૃદ્ધ પાસેથી 2.52 કરોડ રૂપિયા પડાવી લીધા | 2025-12-12 17:59:47
કફ સિરપ કેસમાં ED એ અમદાવાદ સહિત દેશભરમાં 25 સ્થળોએ દરોડા પાડ્યાં, રૂ.1000 કરોડથી વધુનું ગોરખધંધો | 2025-12-12 10:52:52
જામનગરઃ પત્નીના લિવ-ઇન પાર્ટનરને બજારમાં જોતા જ ઉશ્કેરાયેલા પૂર્વ પતિએ તેની હત્યા કરી નાખી | 2025-12-12 10:19:18