Thu,25 April 2024,10:19 am
Print
header

3 લોકોનાં મોત, મહિસાગરના સાકરિયા ગામમાં બાઇક-સ્કોર્પિયો વચ્ચે થયો અકસ્માત, મામા, મામી અને ભાણેજનું મોત

ઉત્તરાયણની ખરીદી કરવા જતી વખતે બની ઘટના

એક જ પરિવારના ત્રણ લોકોના મોતથી શોકનો માહોલ

મહિસાગરઃ બાલાસિનોર તાલુકાના સાકરીયા ગામની સીમમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બાઈક અને સ્કોર્પિયો કાર વચ્ચે ગઈકાલે સાંજે સર્જાયેલા અકસ્માતમાં 11 વર્ષના ભાણેજ અને તેના મામા-મામીનું મોત થયું હતું. ઉત્તરાયણ પર્વની ખરીદી કરવા જતા સમયે સ્કોર્પિયોએ બાઇકને જોરદાર ટક્કર મારી હતી.

એક જ પરિવારના ત્રણ લોકોના મોત થયા હતા. તહેવારના સમયમાં એક જ પરિવારના ત્રણને કાળભરખી જતા માતમનો માહોલ છવાયો છે. અકસ્માતમાં મૃત્યુ પામનાર પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના રહેવાસી છે. પોલીસે કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch