Thu,15 January 2026,4:56 am
Print
header

અયોધ્યામાં રામ મંદિર અને પંચકોસી પરિક્રમા માર્ગમાં નોન-વેજની ઓનલાઈન ડિલિવરી પર પ્રતિબંધ

  • Published By dilip patel
  • 2026-01-09 19:24:55
  • /

અયોધ્યાઃ રામ મંદિર અને પંચકોસી પરિક્રમા માર્ગની મર્યાદામાં નોન-વેજ ખાદ્ય પદાર્થોના વેચાણ પર વહીવટીતંત્રે સંપૂર્ણપણે પ્રતિબંધ લગાવી દીધો છે. આ પ્રતિબંધ હવે માત્ર હોટલ, ઢાબા અને દુકાનો સુધી મર્યાદિત રહેશે નહીં, પરંતુ ઓનલાઈન ફૂડ ડિલિવરી કરતી કંપનીઓ પર પણ લાગુ થશે. તંત્રએ આ અંગે હોટલ સંચાલકો, દુકાનદારો, ગેસ્ટ હાઉસ, હોમ-સ્ટે અને ઓનલાઈન ફૂડ ડિલિવરી કંપનીઓને આદેશની જાણ કરી દીધી છે. સાથે જ નિયમોના ઉલ્લંઘન બદલ સખત કાર્યવાહીની ચેતવણી આપી છે.

સહાયક ખાદ્ય કમિશનરે જણાવ્યું કે, રામ મંદિર અને તેની આસપાસના વિસ્તારોમાં નોન-વેજ વેચાણ પર અગાઉથી જ પ્રતિબંધ છે, પરંતુ કેટલીક હોટલ, ગેસ્ટ હાઉસ અને હોમ-સ્ટે આનું પાલન કરી રહ્યાં ન હતા. એવી ફરિયાદો મળી હતી કે પ્રવાસીઓને ઓનલાઈન માધ્યમથી નોન-વેજ ભોજન મંગાવીને પીરસવામાં આવી રહ્યું છે.

આ બાબતને ધ્યાનમાં રાખીને, તંત્રે હવે રામ મંદિર અને તેની આસપાસના વિસ્તારોમાં ઓનલાઈન નોન-વેજ ડિલિવરી પર પણ રોક લગાવી દીધી છે. તમામ સંબંધિત સંસ્થાઓ અને ઓનલાઈન ડિલિવરી કંપનીઓને આ આદેશની જાણકારી આપી દેવામાં આવી છે. વહીવટીતંત્ર આ આદેશનું કડકાઈથી પાલન કરાવશે, નિયમિત મોનિટરિંગ કરવામાં આવશે અને નિયમ તોડનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch