અયોધ્યાઃ રામ મંદિર અને પંચકોસી પરિક્રમા માર્ગની મર્યાદામાં નોન-વેજ ખાદ્ય પદાર્થોના વેચાણ પર વહીવટીતંત્રે સંપૂર્ણપણે પ્રતિબંધ લગાવી દીધો છે. આ પ્રતિબંધ હવે માત્ર હોટલ, ઢાબા અને દુકાનો સુધી મર્યાદિત રહેશે નહીં, પરંતુ ઓનલાઈન ફૂડ ડિલિવરી કરતી કંપનીઓ પર પણ લાગુ થશે. તંત્રએ આ અંગે હોટલ સંચાલકો, દુકાનદારો, ગેસ્ટ હાઉસ, હોમ-સ્ટે અને ઓનલાઈન ફૂડ ડિલિવરી કંપનીઓને આદેશની જાણ કરી દીધી છે. સાથે જ નિયમોના ઉલ્લંઘન બદલ સખત કાર્યવાહીની ચેતવણી આપી છે.
સહાયક ખાદ્ય કમિશનરે જણાવ્યું કે, રામ મંદિર અને તેની આસપાસના વિસ્તારોમાં નોન-વેજ વેચાણ પર અગાઉથી જ પ્રતિબંધ છે, પરંતુ કેટલીક હોટલ, ગેસ્ટ હાઉસ અને હોમ-સ્ટે આનું પાલન કરી રહ્યાં ન હતા. એવી ફરિયાદો મળી હતી કે પ્રવાસીઓને ઓનલાઈન માધ્યમથી નોન-વેજ ભોજન મંગાવીને પીરસવામાં આવી રહ્યું છે.
આ બાબતને ધ્યાનમાં રાખીને, તંત્રે હવે રામ મંદિર અને તેની આસપાસના વિસ્તારોમાં ઓનલાઈન નોન-વેજ ડિલિવરી પર પણ રોક લગાવી દીધી છે. તમામ સંબંધિત સંસ્થાઓ અને ઓનલાઈન ડિલિવરી કંપનીઓને આ આદેશની જાણકારી આપી દેવામાં આવી છે. વહીવટીતંત્ર આ આદેશનું કડકાઈથી પાલન કરાવશે, નિયમિત મોનિટરિંગ કરવામાં આવશે અને નિયમ તોડનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
અરવલ્લીઃ બાયડના ચોઇલા ગામે પતંગની દોરીથી ગળું કપાતા 17 વર્ષીય તરુણનું મોત | 2026-01-14 14:21:20
દિલ્હીમાં ભાજપના દિગ્ગજ નેતા રવિશંકર પ્રસાદના નિવાસસ્થાને આગ, જુઓ વીડિયો | 2026-01-14 09:51:41
ગુજરાતમાં IAS કેડરમાં બે અધિકારીઓની બઢતી અને નિમણૂંક - Gujarat Post | 2026-01-14 09:44:46
ઈરાનમાં વિરોધ પ્રદર્શન લોહીયાળ બન્યું: બે સપ્તાહમાં 2000 લોકોનાં મોત, સરકારે પ્રથમવાર આંકડો સ્વીકાર્યો | 2026-01-13 18:19:56
સુરતમાં મહિલા સાથેના સંબંધોમાં બિલ્ડરની થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો, વકીલ સહિત 3 લોકોની ધરપકડ | 2026-01-13 18:01:18
અંબરનાથ ચૂંટણીમાં મોટો ખોલ, વ્હીપ વિરુદ્ધ જઈને અજિત જૂથે ભાજપના વિરોધમાં કર્યું વોટિંગ | 2026-01-12 18:47:18
રેલવેમાં સરકારી નોકરીની સુવર્ણ તક: 312 જગ્યાઓ માટે ભરતી જાહેર, જાણો લાયકાત અને પગાર - Gujarat Post | 2026-01-09 19:13:14
દિલ્હી- એનસીઆરમાં ભારે ઠંડી વચ્ચે કમોસમી વરસાદ | 2026-01-09 08:54:54
ડ્રગ્સ માફિયાઓ સામે ઓપરેશન, ગુજરાત પોલીસે જાહેર કર્યો ખાસ વોટ્સએપ નંબર- Gujarat Post | 2026-01-13 17:52:03