નવી દિલ્હી: સીબીઆઈ એ NEET-UG 2026 પરીક્ષાનું પેપર લીક થવાના કેસમાં વધુ એક આરોપીની ઓળખ કરી છે. સીબીઆઈએ મૂળ મહારાષ્ટ્રના પુણેના રહેવાસી અને બોટની વિષયના પ્રોફેસર મનીષા ગુરુનાથ મંડહરેની દિલ્હીથી ધરપકડ કરી છે.
તપાસમાં સામે આવ્યું છે કે, નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા મનીષા મંડહરેની NEET-UG 2026 પરીક્ષા પ્રક્રિયામાં એક્સપર્ટ તરીકે નિમણૂંક કરવામાં આવી હતી. તેની પાસે બોટની અને ઝૂલોજીના પ્રશ્નપત્રો સુધી પહોંચવાનો સંપૂર્ણ અધિકાર હતો. સીબીઆઈના જણાવ્યાં અનુસાર, એપ્રિલ 2026 માં મનીષા મંડહરેએ પુણેની મનીષા વાઘમરે (જેની 14 મેના રોજ ધરપકડ થઈ ચૂકી છે) ના માધ્યમથી નીટના વિદ્યાર્થીઓને ભેગા કર્યા હતા અને પુણે સ્થિત પોતાના ઘરે સ્પેશિયલ કોચિંગ ક્લાસ ચલાવ્યાં હતા. આ ક્લાસ દરમિયાન તેણે બોટની અને ઝૂલોજીના ઘણા પ્રશ્નો વિદ્યાર્થીઓને કહ્યાં હતા, નોટ્સ લખાવી હતી અને પુસ્તકોમાં માર્ક કરાવ્યાં હતા. તપાસમાં જાણવા મળ્યું છે કે આમાંથી મોટાભાગના પ્રશ્નો 3 મે 2026 ના રોજ લેવાયેલી NEET-UG પરીક્ષાના અસલી પ્રશ્નપત્ર સાથે મળતા આવતા હતા.
સીબીઆઈએ છેલ્લા 24 કલાકમાં દેશભરમાં 6 જગ્યાઓ પર દરોડા પણ પાડ્યાં હતા અને ઘણા મહત્વના દસ્તાવેજો, લેપટોપ, બેંક સ્ટેટમેન્ટ અને મોબાઈલ ફોન રિકવર કરવામાં આવ્યાં હતા. જપ્ત કરાયેલા સામાનની તપાસ ચાલી રહી છે. સીબીઆઈએ આ કેસ 12 મે 2026 ના રોજ શિક્ષણ મંત્રાલયના ઉચ્ચ શિક્ષણ વિભાગની ફરિયાદના આધારે નોંધ્યો હતો. કેસ નોંધાતાની સાથે જ સીબીઆઈની સ્પેશિયલ ટીમોએ દેશભરમાં દરોડા પાડવાનું શરૂ કરી દીધું છે અને અત્યાર સુધીમાં ઘણા શંકાસ્પદોની પૂછપરછ કરવામાં આવી છે.
આ મામલામાં અત્યાર સુધીમાં દિલ્હી, જયપુર, ગુરુગ્રામ, નાસિક, પુણે અને અહલિયાનગરથી 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જેમાંથી 5 આરોપીઓને કોર્ટે 7 દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલ્યાં છે. સીબીઆઈનું કહેવું છે કે તપાસમાં કેમિસ્ટ્રી અને બાયોલોજી પેપર લીકના અસલી સ્ત્રોત તેમજ વિદ્યાર્થીઓને જોડતા વચેટિયાઓની કડી મળી ગઈ છે. વિદ્યાર્થીઓ પાસેથી લાખો રૂપિયા લઈને તેમને એ ખાસ ક્લાસમાં બોલાવવામાં આવતા હતા, જ્યાં પરીક્ષામાં પૂછાનારા પ્રશ્નો અગાઉથી કહી દેવામાં આવતા હતા. સીબીઆઈએ ખાતરી આપી છે કે આ મામલાની નિષ્પક્ષ રીતે તપાસ ચાલુ રહેશે.
અમદાવાદઃ વિમાનના ટોયલેટ સ્પીકરમાંથી રૂ. 4 કરોડોનું સોનું જપ્ત, બે પાઉચમાંથી 24 સોનાના બિસ્કિટ મળ્યાં | 2026-06-13 09:30:49
વિમાન દુર્ઘટનાનો ભોગ બનેલા લોકોના પરિવારોએ પ્રિયજનોને યાદ કર્યા, મૃતકો માટે સ્મારક બનાવવાની માંગ | 2026-06-13 09:09:38
ત્રણ ભારતીય ખલાસીઓના મોત પર જયશંકર ગુસ્સે ભરાયા, માર્કો રુબિયો સાથે ફોન પર નારાજગી વ્યક્ત કરી | 2026-06-13 08:45:56
ચોટીલાના PI- PSI સહિત 4 પોલીસકર્મીઓ સસ્પેન્ડ, સુરેન્દ્રનગર LCBમાં પણ મોટા પાયે બદલીઓ થઇ | 2026-06-12 18:19:56
પેરોલ પર છૂટેલા કુખ્યાત મોન્ટુ નામદારે પોલીસ સ્ટેશન બહાર જ પોલીસકર્મીને આપી જાનથી મારી નાખવાની ધમકી | 2026-06-12 18:09:58
સરકારનો મોટો નિર્ણય, આ ગ્રાહકો હવે પેટ્રોલ પંપ પરથી પેટ્રોલ અને ડીઝલ મેળવી શકશે નહીં | 2026-06-12 09:13:31
યુએસ મિસાઇલ હુમલામાં હિમાચલના આદિત્ય શર્માનું મોત, જહાજ પર કેડેટ તરીકે ફરજ બજાવતા હતા | 2026-06-11 20:56:07
મણિપુરમાં નાગા સમુદાયના છ મૃતદેહો મળી આવતાં હડકંપ, ઇમ્ફાલમાં ફરી હિંસા ભડકી | 2026-06-11 08:50:34
ઉજ્જવલા યોજનાના નિયમો બદલાયા, 10 કરોડ પરિવારોને ઝટકો, LPG અંગે સરકારનો મોટો નિર્ણય | 2026-06-09 13:03:24
બનાસકાંઠાઃ લાખણીના કૂવાણા ગામે જેતડા-દિયોદર હાઈવે પર ધોળા દિવસે સનસનાટીભરી હત્યા | 2026-06-12 18:03:39