Fri,19 April 2024,10:14 pm
Print
header

નવસારીઃ આંબાના ઝાડ પર લટકી રહી હતી ત્રણ લાશો, પરિવારના સામૂહિક આપઘાતથી સનસની

નવસારીઃ વાસંદાના મોળાઆંબા ગામમાં એક પરિવારે સામૂહિક આપઘાત કરી લેતા ચકચાર મચી છે. ગામની બહાર એક આંબાના ઝાડ પર ગળે ફાંસો ખાઇને ત્રણેય લોકોએ આત્મહત્યા કરી લીધી છે. પોતાના પુત્ર યોગેશની શોધખોળ કરતા તેની ઝાડ પરથી લાશ મળી હતી, બાદમાં તેના માતા-પિતાએ પણ પુત્રના વિરહમાં તે જ આંબાના ઝાડ પર ગળેફાંસો ખાઇને જિંદગી ટૂંકાવી દીધી છે. 

મૃતક યુવક કોરોનાની બિમારીમાંથી બહાર આવ્યાં પછી માનસિક રીતે બિમાર હોવાનું પોલીસને જાણવા મળ્યું છે. યોગેશે પહેલા પણ આત્મહત્યાના પ્રયાસ કર્યાં હોવાનું સામે આવ્યું છે. યોગેશને એક ત્રણ વર્ષની દિકરી છે હવે તેના મોતથી તેના પત્ની અને દિકરી નિરાધાર બન્યાં છે. આ સનસનીખેજ ઘટનાથી ગામમાં શોકનો માહોલ છવાઇ ગયો છે. પોલીસે ઘટના સ્થળે પહોંચીને કેસની વધુ તપાસ હાથ ધરી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch