Thu,18 April 2024,8:43 pm
Print
header

નાસિક હાઇવે પર બસ અને ટ્રક વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, 10 લોકોનાં મોત

મુંબઇઃ શુક્રવારની સવારે નાસિક-શિરડી હાઈવે પર ભયાનક અકસ્માત સર્જાતા તેમાં 10 લોકોનાં મોત થયા હતા.જ્યારે 40 લોકો ઘાયલ થતા નજીકની સાંઈબાબા હોસ્પિટલમાં ખસેડાયા હતા. 50 મુસાફરોને લઈને શિરડી જઈ રહેલી લક્ઝરી બસ અને ટ્રક સામ સામે ધડાકાભેર અથડાતા આ દુર્ઘટના બની હતી.આ ઘટનાની જાણ થતા પોલીસે સ્થળ પર પહોંચીને આગળની કાર્યવાહી હાથધરી હતી. 

મુંબઈને નજીક આવેલા ઉલ્હાસનગર, અંબરનાથ અને થાણેના ઘણા શ્રદ્ધાળુઓ શિરડી સાંઈ બાબાના દર્શન કરવા માટે નીકળ્યાં હતા.આ તમામ લોકો લક્ઝરી બસમાં દર્શન માટે જઈ રહ્યાં હતા. બસમાં 50 મુસાફરો સવાર હતા. નાસિક-શિરડી હાઈવે પર પાથેર ગામ નજીક બસ અને ટ્રક સામ-સામે ધડાકાભેર અથડાતા બન્નેને ભારે નુકસાન થયું છે.અકસ્માતને કારણે બસમાં સવાર અનેક મુસાફરોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. 

મૃતકોમાં 7 મહિલાઓ અને 3 પુરૂષોનો સમાવેશ થાય છે. અકસ્માતના કારણોની તપાસ કરવામાં આવી રહી છે અને મૃતકોની ઓળખ કરવામાં આવી રહી છે. મુખ્યમંત્રી એકનાથ શિંદેએ આ અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે મૃતકોના પરિવારજનોને 5-5 લાખ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી છે. 

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch