Fri,19 April 2024,11:22 pm
Print
header

ખોડલધામના ચેરમેન નરેશ પટેલ કોંગ્રેસમાં જશે તેવા અહેવાલ બાદ IBની હલચલ વધી- Gujarat post

નરેશ પટલેને ભાજપ-કોંગ્રેસ અને આપમાં જોડાવવા માટે મોટા નેતાઓ દ્વારા આમંત્રણ મળી ચૂક્યું છે

પાટીદારોને મનાવવા નરેશ પટેલ મહત્વપૂર્ણ ફેક્ટર 

રાજકોટઃ છેલ્લા ઘણા સમયથી ખોડલધામના ચેરમેન નરેશ પટેલ રાજકારણમાં જોડાશે કે નહીં તેને લઈને મીડિયામાં સતત ચર્ચાઓ ચાલી રહી છે. ગુજરાતના પાટીદાર સમાજના લોકો પણ  જાણવા ઈચ્છે છે કે નરેશ પટેલ રાજકારણમાં જોડાશે તો તેઓ કઈ પાર્ટીમાં જોડાશે ? નરેશ પટલેને ભાજપ-કોંગ્રેસ અને આપમાં જોડાવવા માટે નેતાઓ દ્વારા આમંત્રણ મળી ચૂક્યું છે. નરેશ પટેલની રાજકીય હલચલ પર IBની પુરી નજર છે. તેમને કોંગ્રેસના નેતાઓ સાથે પણ અનેક વખત મુલાકાત કરી છે.

ભાજપ માટે વિધાનસભાની ચૂંટણી પહેલા પાટીદારોને મનાવવા માટે નરેશ પટેલ મહત્વપૂર્ણ ફેક્ટર માનવામાં આવે છે.ત્યારે નરેશ પટેલની રાજકીય એન્ટ્રી અને રાજકીય હલચલ પર IBની નજર છે. નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાશે તેવા સમાચાર વચ્ચે IBની વોચ ગોઠવાઈ છે.એટલું જ નહીં, નરેશ પટેલ કોને મળે છે, શું કરે છે ? ક્યાં જાય છે તેની માહિતી પણ IB એકત્ર કરી રહ્યું છે.જો કે હાલમાં નરેશ પટેલે કોઇ સ્પષ્ટતા કરી નથી. ઘણા રાજકીય નિષ્ણાંતો માની રહ્યાં છે કે જો નરેશ પટેલ કોંગ્રેસમાં જશે તો તેમને મોટું નુકસાન ભોગવવું પડશે, ભાજપ કોઇને કોઇ રીતે તેમને હેરાન કરી શકે છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch