Thu,18 April 2024,6:13 pm
Print
header

ભાજપના સુબ્રમણ્યમ સ્વામીએ જ મોદી સરકારની ધૂળ કાઢી નાખી, કહ્યું મોદી સરકારમાં બધા મુર્ખાઓ ભેગા થયા છે

મમતા દીદી સાથે મુલાકાત બાદ સ્વામીના બળવાખોર તેવર 

નવી દિલ્હીઃ થોડા વર્ષો પહેલા પોતાની પાર્ટીને મર્જ કરીને ભાજપમાં આવેલા સાંસદ સુબ્રમણ્યમ સ્વામીના બળવાખોર વલણો દેખાઇ રહ્યાં છે, પોતાની જ સરકાર માટે કદી દીધું છે કે આ આખી મોદી સરકાર મુર્ખાઓથી ભરેલી છે. પોતાની જ ભાજપ સરકાર પર સવાલ ઉભા કરીને મોદી સરકારની તમામ નીતિઓની ઝાટકણી કાઢી નાખી છે. છેલ્લા ઘણા સમયથી સ્વામી પાર્ટીથી નારાજ છે. અગાઉ પણ તેઓ ભાજપના નેતાઓને લઇને અનેક વખત નિવેદનો આપી ચુક્યાં છે.

તેમને પશ્વિમ બંગાળના સીએમ મમતા બેનર્જી સાથે મુલાકાત કરી હતી, અટકતો છે કે તેઓ ટીએમસીમાં જોડાઇ શક છે, આ મહત્વની મુલાકાત બાદ જ સ્વામીએ મોદી સરકાર પર પ્રહાર કર્યાં છે. વિદેશ નીતિ, ઈકોનોમી, સરહદી સુરક્ષા, રાષ્ટ્રીય સુરક્ષા સહિતના બધા જ મુદ્દે મોદી સરકાર નિષ્ફળ છે. તેમને પેગાસસ જાસૂસી મામલે પણ મોદી સરકાર સામે સવાલ ઉઠાવ્યાં છે. જમ્મુ-કાશ્મીરનો મુદ્દો હોય કે દેશની આર્થિક સ્થિતી તમામ મુદ્દે મોદી નિષ્ફળ હોવાનું સ્વામીનું કહેવું છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch