Sat,20 April 2024,5:44 pm
Print
header

ફરી વિવાદમાં સ્વામીનારાયણ મંદિર, વડતાલ મંદિરના પાર્ષદે 8 વર્ષની બાળકી પર આચર્યું દુષ્કર્મ

નડિયાદઃ વડતાલ સ્વામિનારાયણ મંદિર ફરીથી વિવાદમાં સપડાયું છે.  47 વર્ષીય મંદિરના પાર્ષદે 8 વર્ષીય બાળકીને ગોમતી તળાવે ફરવા લઈ જવાના બહાને લક્ષ્મીનારાયણ ભુવનમાં દુષ્કર્મ આચર્યું હોવાની સનસીખેજ ઘટના સામે આવી છે. પીડિતા બાળકીએ આ વાત તેના માતા પિતાને કરતા ચકલાસી પોલીસ મથકે શૈતાન પાર્ષદ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપી ભગતને પકડીને જેલ ભેગો કર્યો છે.

મૂળ મધ્યપ્રદેશ વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં રહેતા (47 ઉ.વ) પાર્ષદ સોહમ ભગતે 8 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું. દુષ્કર્મનો ભોગ બનેલી બાળાને પીડા થતા પૂછપરછ કરતા બાળકીએ તમામ હકીકત જણાવી હતી. સોહમ મૂળ મધ્ય પ્રદેશનો છે, વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં 30 વર્ષથી રહે છે. સ્વામિનારાયણ સત્સંગી પરિવાર સાથે પરીચય કેળવીને તેને આ કૃત્ય કર્યું છે. મંદિર પ્રશાસનને આ ઘટનાની જાણ થતા હવસખોર સોહમને પોલીસને સોંપી દીધો હતો. 

નોંધનિય છે કે અગાઉ પણ વડતાળ મંદિરમાં આવા બનાવો બન્યાં છે, ફરીથી એક માસૂમને શૈતાને પોતાની હવસનો ભોગ બનાવતા લોકોમાં પણ રોષ વ્યાપી ગયો છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch