Wed,24 April 2024,9:08 am
Print
header

સુશાંતસિંહ રાજપૂતને ન્યાય અપાવવા મેદાનમાં આવેલી કંગના રનૌતના ઘર પર ફાયરિંગ

મનાલીઃ ફિલ્મ અભિનેતા સુશાંતસિંહ રાજપુતની આત્મહત્યાને લઇને અનેર તર્ક-વિતર્ક થઇ રહ્યાં છે, પોલીસ સુશાંતની આત્મહત્યાની તપાસમાં લાગી ગઇ છે, આ કેસમાં બોલીવુડ અભિનેત્રી કંગના રનૌત પણ બોલીવુડની એક ગેંગ સામે પડી છે અને તે સતત નિવેદનો કરીને સુશાંતસિંહના મોતની તપાસ માટે માંગ કરી રહી છે. 

હવે મનાલીમાં આવેલા કંગના રનૌતના ઘર પર ગોળીબાર થયાનો દાવો કરાયો છે
કંગનાની ટીમે ગઇકાલે પોલીસ ફરિયાદ કરીને માહિતી આપતા કહ્યું છે કે મનાલી સ્થિત કંગનાના ઘર પર અજાણ્યા શખ્સોએ ફાયરિંગ કરીને તેને ડરાવવાનો પ્રયાસ કર્યો છે, જો કે કંગનાએ કહ્યું છે કે હું કોઇનાથી ડરવાની નથી. પોલીસને ફાયરિંગના હજુ સુધી કોઇ પુરાવા મળ્યાં નથી.

કંગનાએ કહ્યું કે હું મારા ઘરમાં હતી અને રાત્રે 11.30 વાગ્યે મે ફાયરિંગનો અવાજ સાંભળ્યો હતો. બાદમાં મે સિક્યુરીટી ગાર્ડને એલર્ટ કરી દીધો હતો. પોલીસે કંગનાને સુરક્ષા આપી છે, બીજી તરફ બોલીવુડમાં સુશાંતની આત્મહત્યાના કેસની સીબીઆઇ તપાસની માંગ ઉઠી છે, સુશાંતના પિતાએ રિયા ચક્રવતિ પર અનેક આરોપ મુકીને કેસની તપાસની માંગ કરી છે.

Facebook પેજની લિંક

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો..

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch