Fri,19 April 2024,10:21 am
Print
header

મહારાષ્ટ્રમાં ચૂંટણીના માહોલ વચ્ચે ભાજપ નેતા રવિન્દ્ર ખરાત સહિત 5 લોકોની હત્યા, મૃતકોમાં તેમના 2 પુત્રોનો સમાવેશ

મહારાષ્ટ્ર: રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર જોરશોરથી થઇ રહ્યો છે, ચૂંટણીના માહોલ વચ્ચે જલગાંવના ભૂસાવળમાં ભાજપના કોર્પોરેટર રવિન્દ્ર ખરાત સહિત 5 લોકોની ક્રૂર હત્યા કરી દેવામાં આવી છે, રાત્રે 9 વાગ્યાની આસપાસ જ્યારે તેઓ પોતાના ઘરની બહાર બેઠા હતા, ત્યારે હુમલાખોરો હથિયારો સાથે ત્યાં આવી પહોંચ્યાં હતા, ફાયરિંગ કરીને ચાકૂના ઘા મારીને રવિન્દ્ર ખરાત, તેમના ભાઇ અને રવિન્દ્રના બે પુત્રો રોહિત-પ્રેમસાગરની હત્યા કરી નાખી હતી, સાથે જ રોહિતના એક મિત્રની પણ હત્યા કરી છે, હુમલાખોરોએ ચાકૂથી રવિન્દ્રનું ગળું કાપી નાખ્યું હતુ, હુમલામાં રવિન્દ્ર ખરાતના પત્ની ગંભીર રીતે ઘાયલ થયા છે, તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે.

રાતના સમયે અચાનક ફાયરિંગના અવાજથી લોકો અહી ભેગા થઇ ગયા હતા અને ઘાયલોને હોસ્પિટલ ખસેડીને પોલીસને જાણ કરાઇ હતી, પોલીસે આ ઘટનામાં ત્રણ શંકાસ્પદ વ્યક્તિઓની અટકાયત કરી છે, આ હુમલો કોણે કરાવ્યો છે તેની તપાસ ચાલી રહી છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch