Fri,19 April 2024,5:11 am
Print
header

શું તમે જાણો છો કે સરગવાના પાનનું સેવન કરવાથી આ ગંભીર બિમારીથી બચી શકાય છે ? Gujarat Post

સ્વાદિષ્ટ હોવાની સાથે સરગવો સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે.તે મોરિંગા, સહજાના, સુજાના, મુંગા વગેરે જેવા ઘણા નામોથી પણ ઓળખાય છે. જેમ સરગવો આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે, તેવી જ રીતે તેના પાંદડા પણ સ્વાસ્થ્ય માટે કોઈ ખજાનાથી ઓછા નથી.

તેમાં એન્ટીઓક્સીડેન્ટ, ક્લોરોફીલ, વિટામીન સી, પ્રોટીન, કેલ્શિયમ જેવા ઘણા પોષક તત્વો હોય છે, જે ઘણા રોગો સામે લડવામાં ખૂબ ફાયદાકારક છે, જેમ કે, ડાયાબિટીસ, કેન્સર, હાઈ બ્લડ પ્રેશર, હૃદય રોગ, આંખના રોગ, સંધિવા વગેરે. જો તમે પણ ડાયાબિટીસ, કેન્સર, હાઈ બ્લડ પ્રેશર જેવી બીમારીઓથી પીડિત છો અને તેનાથી છૂટકારો મેળવવા માંગતા હોવ તો તમે સરગવાના પાનનું સેવન કરી શકો છો. 

બ્લડ શુગર માટે

બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરવા માટે તમે સરગવાના પાનનું સેવન કરી શકો છો. સરગવાના પાંદડામાં એન્ટિ-ડાયાબિટીક ગુણ હોય છે, જેને કારણે તે ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ ફાયદાકારક હોઈ શકે છે. તેથી સુગરના દર્દીઓએ તેને તેમના આહારમાં સામેલ કરવું જોઈએ.

હાઈ બ્લડ પ્રેશર માટે ફાયદાકારક

હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓ માટે સરગવાના પાંદડા ખૂબ જ અસરકારક છે. તેમાં પોટેશિયમ વધુ હોય છે, જે બ્લડ પ્રેશરને ઓછું કરવામાં મદદ કરી શકે છે.ઉપરાંત, તે રક્તવાહિનીઓને યોગ્ય રીતે કામ કરવામાં પણ મદદ કરે છે. હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓ તેને પોતાના આહારમાં સામેલ કરીને બ્લડ પ્રેશરને નિયંત્રિત કરી શકે છે.

કેન્સર માટે

શું તમે જાણો છો કે સરગવાના પાનનું સેવન કરવાથી કેન્સર જેવી બીમારીઓથી બચી શકાય છે. તેમાં એન્ટીઓક્સીડેન્ટ, ઝિંક, વિટામિન સી જેવા ઘણા પોષક તત્વો હોય છે જે કેન્સરના દર્દીઓ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.

પાચનતંત્ર સારું રહેશે

સરગવાના પાંદડામાં ફાઈબર મળી આવે છે, જે પાચનતંત્રને મજબૂત બનાવવામાં ખૂબ જ ફાયદાકારક છે. પેટ સંબંધિત રોગોમાં તેનું સેવન ફાયદાકારક છે.

(Disclaimer- આ લેખમાં દર્શાવેલા સૂચનો માત્ર સામાન્ય માહિતીના હેતુ માટે છે, તેને વ્યાવસાયિક તબીબી સલાહ તરીકે ન લેવા જોઈએ. કોઈ પણ રોગ માટે ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે. GUJARATPOST NEWS આ માહિતીની કોઇ પણ જવાબદારી સ્વીકારતું નથી)

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar