Wed,15 July 2026,12:22 am
Print
header

પુરનો પ્રકોર, સુરતની ખાડીમાંથી વધુ 3 મૃતદેહ મળતા કુલ મૃત્યુઆંક 29 થયો

  • Published By
  • 2026-07-09 17:50:13
  • /

સુરતઃ ડાયમંડ સિટીમાં બે દિવસ પહેલા મુશળધાર વરસાદ બાદ હવે બરબાદીના દ્રશ્યો સામે આવી રહ્યાં છે. સુરતમાંથી પસાર થતી ખાડીઓ ઓવરફ્લો થતાં રહેણાંક વિસ્તારો અને રસ્તાઓ પર પૂરના પાણી ફરી વળ્યાં છે, જેને કારણે ખાડીઓ હાલ જાણે મોતનો કૂવો બની ગઈ હોય તેવી ભયાનક સ્થિતિ સર્જાઈ છે. આ સ્થિતિ વચ્ચે વરસાદી પાણીમાં ડૂબી ગયેલા વધુ ત્રણ યુવાનોના 36 કલાક બાદ મૃતદેહ મળી આવતા કુલ મૃત્યુઆંક 29 પર પહોંચી ગયો છે.

ડિંડોલીની બદરીનાથ સોસાયટીમાં રહેતા બે પાડોશી મિત્રો હર્ષલ પ્રવીણભાઈ કરંકાળ (ઉં.વ. 19) અને અજીત બલિરામ પટેલ (ઉં.વ. 31) ગત 7 જુલાઈએ રાત્રે કામ પતાવી ઘરે પરત ફરી રહ્યાં હતા. સચિન રોડ પર ખરવાસા તળાવ પાસે ભારે વરસાદના પાણી ભરાયા હોવાથી બંને મિત્રો તેમાં ડૂબી ગયા હતા. આજે સવારે રાહદારીઓએ પાણીમાં મૃતદેહ તરતા જોતા પોલીસને જાણ કરી હતી. પોલીસે બંનેના મૃતદેહ સિવિલ હોસ્પિટલ ખસેડ્યા છે.

મૂળ અમરેલીના અને હાલ મોટા વરાછામાં રહેતા અલ્પેશ રમેશભાઈ દેસાઈ (ઉં.વ. 35) ગત 7 જુલાઈની સાંજે કડોદરા ખાતેથી બાઈક લઈને ઘરે આવવા નીકળ્યાં બાદ ગુમ થયા હતા. આજે ગુરુવારે સવારે વાલક પાટીયા પાસે ખાડીના ધસમસતા પાણીમાંથી ફાયર બ્રિગેડના જવાનોએ અલ્પેશભાઈનો મૃતદેહ બહાર કાઢ્યો હતો.

પાસોદરાની સ્વસ્તિક રેસીડેન્સીમાં રહેતા અને વરાછામાં ગેરેજ ચલાવતા બે ભાઈઓ સંદીપ ચોવટીયા (ઉં.વ. 27) અને દર્શક ચોવટીયા (ઉં.વ. 25) ગત 7 જુલાઈની સાંજે કાર લઈને ઘરે પરત ફરી રહ્યા હતા. વાલક પાટીયા પાસે રસ્તા પર પાણીના ભારે પ્રવાહમાં તેમની કાર ફસાઈને ડૂબવા લાગી હતી. બંને ભાઈઓએ કારમાંથી બહાર છલાંગ લગાવી હતી. જેમાં દર્શકે લાકડું પકડી રાખતા નજીકની સ્કૂલના વોચમેનની મદદથી તેનો આબાદ બચાવ થયો હતો.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch