ફાઇલ ફોટો
ગાંધીનગરઃ રાજ્ય સરકારે ખેડૂતોને લઇને મહત્વનો નિર્ણય કર્યો છે. કૃષિમંત્રી આર.સી ફળદુએ જાહેરાત કરતા કહ્યું કે, ખેતીને 33 ટકાથી વધુ નુકસાન થયું હોય તેવા 20 જિલ્લાનાં 123 તાલુકાઓમાં ખેડૂતોને સહાય મળશે. ભૂતકાળના વર્ષોમાં પણ ભાજપ સરકારે ખેડૂતોને મદદ કરી જ છે. આ વર્ષે પણ નુકસાનગ્રસ્ત ખેડૂતોને રાજ્ય સરકારે 3700 કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કર્યું છે. તેમાં ધારાધોરણ પ્રમાણે ખેડૂતોને મદદ આપવામાં આવશે.
કૃષિમંત્રી આર સી ફળદુએ જણાવ્યું હતું કે, વરસાદથી જ્યાં પાકને વધુ નુકસાન થયું છે તેવા 20 જિલ્લાના 123 તાલુકામાં સહાય ચૂકવાશે. રાજ્ય સરકારે ખેડૂતો માટે રૂપિયા 3700 કરોડનું પેકેજ જાહેર કર્યુ છે. તેમને કહ્યું કે ખેડૂતોએ કોઈ ચિંતા કરવાની જરૂર નથી. પ્રતિહેક્ટર SDRFના ધોરણ પ્રમાણે રૂપિયા 6800 મળવા પાત્ર હોય છે.રાજ્ય બજેટમાંથી 3200 રૂપિયાનો ઉમરો કરીને પ્રતિહેક્ટર 10 હજાર મળશે. વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદામાં 20 હજાર સુધીની સહાય મળશે. ટેકાના ભાવે પાકની ખરીદી શરૂ કરાશે.
કૃષિમંત્રીએ વધુમાં કહ્યું કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખેડૂતો માટે પેકેજની જાહેરાત કરી છે. તેમા સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓને નુકસાનમાં આવરી લેવાયા છે. આ વર્ષે પણ વઘુ વરસાદન કારણે ખેતીને નુકસાન થયું છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સર્વેના રિપોર્ટ આવ્યા છે. SDRF પ્રમાણે સહાય કરવા જણાવ્યું છે. તાલુકા કક્ષાએ રેન્ડમ સર્વે કરવામાં આવ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂત ખાતેદારોને પાક નિષ્ફળ જવા પર સહાય સીધી ખાતામાં જમા થશે. સરકારની સહાય મેળવવા માટે ખેડૂતોએ 1 ઑક્ટોબરથી અરજી કરવાની રહેશે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો
કેનેડાની અત્યાર સુધીની સૌથી મોટી લૂંટમાં ભારતીય મૂળના બે વ્યક્તિઓની ધરપકડ, જાણો કેવી રીતે થયો ખુલાસો | 2024-04-19 18:01:07
વાસુકી નાગના વૈજ્ઞાનિકોને કચ્છમાંથી મળ્યા અવશેષો, ટી-રેક્સ ડાયનાસોર કરતા પણ મોટો હતો | 2024-04-19 17:35:13
Amit shah nomination: લોકસભા ચૂંટણીને લઇને ગાંધીનગર બેઠક પર અમિત શાહે નોંધાવી ઉમેદવારી | 2024-04-19 13:35:31
બીજા રાજ્યોમાં પણ ક્ષત્રિય સમાજનો ભાજપને ડર...આજે પરસોત્તમ રૂપાલા ફોર્મ પરત ખેંચી લે તેવી પુરી શક્યતા- Gujarat Post | 2024-04-19 09:46:17
લોકસભા ચૂંટણી 2024: પ્રથમ તબક્કાની 102 બેઠકો પર મતદાન શરૂ, બંગાળના કૂચ બિહારમાં પથ્થરમારો, અનેક હસ્તીઓએ કર્યું મતદાન | 2024-04-19 09:39:13
પોતાનો ફાયદો ન દેખાતા નેતાઓ આમ આદમી પાર્ટી છોડી રહ્યાં છે, અલ્પેશ કથિરીયા, ધાર્મિક માલવિયાએ આપ્યું રાજીનામું | 2024-04-18 16:02:48
લોકસભા ચૂંટણી 2024: સાણંદમાં અમિત શાહનો ભવ્ય રોડ શો, મોટી સંખ્યામાં ઉમટ્યાં લોકો | 2024-04-18 10:51:11