Fri,19 April 2024,11:51 pm
Print
header

મેં પાપ કર્યું છે.. ભાજપના ધારાસભ્ય રાઘવજી પટેલે સ્વ.કેશુભાઇ પટેલને યાદ કરીને આવું કેમ કહ્યું ?

ગાંધીનગરઃ વિધાનસભાના બજેટ સત્રના પહેલા દિવસે સ્વ.મુખ્યપ્રધાન કેશુભાઇ પટેલ અને સ્વ.માધવસિંહ સોલંકીને શ્રદ્ધાંજલી આપીને શોક સંદેશ રજૂ કરાયો હતો. કોંગ્રેસમાંથી ભાજપમાં જઇને જામનગરના ધારાસભ્ય બનેલા રાઘવજી પટેલના નિવેદનથી સૌ કોઇ ચોંકી ગયા છે કોઇએ વિચાર્યું પણ નહીં હોય કે રાઘવજી આવું પણ કંઇક બોલશે, તેમને કહ્યું કે જે તે સમયે કેશુભાઇ પટેલની ભાજપ સરકારને ઉથલાવી પાડવામાં મેં સક્રિય ભૂમિકા ભજવી હતી અને મેં એક સેવાભાવી સીએમની ખુરશી ઉથલાવવામાં મોટો ભાગ ભજવ્યો હતો. જે પાપની સજા હું ભોગવી રહ્યો છું અને હું ડાયાબિટીસ અને બીપીનો દર્દી પણ બની ગયો છું.

ખેલદીલીથી રાઘવજીએ કહ્યું કે શંકરસિંહે જ્યારે કેશુભાઇની સરકાર ઉથલાવી હતી તેના પહેલા બાપાએ જ મને ટિકિટ આપીને ધારાસભ્ય બનાવ્યો હતો તેમ છંતા મેં પાપ કર્યું. કેશુભાઇએ પોતાનું જીવન ખેડૂતો અને ગરીબોની સેવામાં કાઢી નાખ્યું તેમ છંતા હું આ બધુ સમજી શક્યો નહીં અને  અપરિપક્વતામાં મે કેશુભાઇના વિરોધીઓ સાથે મળીને ષડયંત્ર કરી નાખ્યું, ત્યારે રાઘવજીએ પોતાની ભૂલનો પસ્તાવો કરી રહ્યાં હોવાની વાત કરીને રાજનીતિનો નવો જ ચહેરો દેખાડ્યો છે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch