Sat,20 April 2024,7:12 am
Print
header

મહેસાણાઃ વાસી ઉત્તરાયણ પર થયેલા ઝઘડામાં પાંચ શખ્સો સામે ફરિયાદ, વૃદ્ધને માર મારીને મોતને ઘાટ ઉતારી દીધા

મહેસાણાઃ વાસી ઉત્તરાયણના દિવસે પાંચ શખ્સોએ વૃદ્ધને માર મારીને મોત ઘાટ ઉતાર્યા હોવાની ઘટના સામે આવી છે. પતંગના પેચ લડાવવા બાબતે બે જૂથો વચ્ચે બોલાચાલી બાદ મોટો ઝઘડો થયો હતો. સોસાયટીના પાંચ શખ્સોએ વૃદ્ધને લાકડી અને લોખંડની પાઇપો વડે માર મારતાં તેમનું સારવાર દરમિયાન મોત થયું છે.આ ઘટના અંગે પોલીસે પાંચ લોકો સામે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરાઇ છે.

મૃતક નાગજીભાઈ વણજારા શહેરની માનવ આશ્રમ ચોકડી પાસે આવેલી ઉમાનગર સોસાયટીમાં પોતાના પરિવાર સાથે ધાબા પર પતંગ ચગાવી રહ્યાં હતા. તેમની જ સોસાયટીમાં રહેતા પાંચ શખ્સોએ પતંગના પેચ લડાવવા મામલે સામાન્ય બોલાચાલી કરી હતી. ઝઘડો ઉગ્ર બનતા બંન્ને જૂથ સામસામે આવી ગયાં હતાં, જેમાં નાગજીભાઈ વણજારાને પાંચ શખ્સોએ લાકડી અને લોખંડની પાઇપ માથામાં મારતાં તેઓ લોહીલુહાણ થઇને નીચે ઢળી પડ્યા હતા, તેમને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઇ જવાયા હતા. સિવિલમાં ડોક્ટરોએ વધુ સારવાર માટે અમદાવાદ લઇ જવાની વાત કરી હતી. જોકે અમદાવાદ લઇને આવે તે પહેલાં જ તેમનું મોત થયું હતું.

હત્યા કરનાર બોબી હરેશભાઇ રાવળ, વનરાવન બાબુજી ઠાકોર, ચિરાગ હરેશભાઇ રાવળ, હરેશ કેશવ લાલ રાવળ, અને સુનીલ રમેશચંદ્ર વ્યાસ વિરુદ્ધ કલમ 143, 147, 148, 149, 302, 323, 504, 506(2), 114 તેમજ જી.પી.એકટ ક 135 મુજબ મહેસાણા એ ડિવિઝનમાં માગીલાલ નાગજીભાઈ વણજારાએ ફરિયાદ નોંધાવી છે. આ મામલે પોલીસ વધુ તપાસ હાથધરી છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch