પોતાના પતિને પોતાનાથી દૂર રાખતી હતી સોનમ
પતિ સાથે હોવા છંતા પ્રેમીને અને હત્યારાઓને મેસેજ કરતી હતી
નવી દિલ્હીઃ મેઘાલય પોલીસ રાજા રઘુવંશી હત્યા કેસની મુખ્ય આરોપી સોનમ રઘુવંશીને શિલોંગ લઈ જશે. સોનમને ગાઝીપુરથી પટનાના ફુલવારી શરીફ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી હતી. હાલમાં સોનમ રઘુવંશીને અહીં રાખવામાં આવી છે. આ પછી, પોલીસ સોનમને કોલકાતા અને બાદમાં ગુવાહાટી લઈ જશે. પછી તેને શિલોંગ લઈ જશે.
પોલીસે રાજા રઘુવંશીના હત્યા કેસમાં સોનમ સહિત પાંચ લોકોની ધરપકડ કરી છે. પૂર્વ ખાસી હિલ્સ જિલ્લાના સોહરામાં રાજાની હનીમૂન દરમિયાન હત્યા કરવામાં આવી હતી. રાજા રઘુવંશી અને તેની પત્ની 23 મેના રોજ ગુમ થઈ ગયા હતા. 2 જૂનના રોજ પત્નીની શોધ દરમિયાન રાજાનો મૃતદેહ ખીણમાંથી મળી આવ્યો હતો.
9 જૂનના રોજ વહેલી સવારે સોનમ યુપીના ગાઝીપુરમાં સામે આવી હતી અને પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતુ. અગાઉ, પોલીસ અને એસઆઈએ દેશને હચમચાવી નાખનારા ગુનામાં સંડોવાયેલા અન્ય લોકોને પણ પકડ્યાં હતા. આ કેસમાં અત્યાર સુધીમાં સોનમ સહિત પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં સોનમનો પાંચ વર્ષ નાનો પ્રેમી પણ છે.
ષડયંત્રને અંજામ આપવા માટે, સોનમ અને રાજે શિલોંગને સ્થળ તરીકે પસંદ કર્યું હતું અને સોનમે રાજાને હનીમૂન માટે શિલોંગ જવા માટે રાજી કર્યો હતો. બંનેએ રાજાને મારવા માટે ત્રણ હત્યારાઓ રાખ્યાં હતા. રાજે પોતે શિલોંગ જવાને બદલે, ત્રણ હત્યારાઓ આકાશ રાજપૂત, વિશાલ ચૌહાણ અને આનંદ કુર્મીને ઇન્દોરથી જ સોનમ અને રાજાનો પીછો કરવા મોકલ્યાં હતા. હત્યારાઓએ શિલોંગમાં જ રાજાએ જ્યાં સ્કૂટર ભાડે લીધું હતું ત્યાંથી એક બાઇક ભાડે લીધી હતી. ત્રણેયે મધ્યપ્રદેશના હોવાનો દાવો કરીને રાજાનો વિશ્વાસ જીતી લીધો હતો અને સાથે ફરતા રહ્યાં હતા.
એક ગાઇડે ત્રણેય હત્યારાઓને દંપતી સાથે જોયા હતા. આ કેસમાં પોલીસ માટે આ સંકેત પણ મહત્વપૂર્ણ સાબિત થયો હતો. સોનમની સામે, હત્યારાઓએ સોહરાના બંધ પાર્કિંગ યાર્ડમાં તીક્ષ્ણ હથિયારથી રાજાની હત્યા કરી હતી. આ પછી, રાજાના મૃતદેહને ખીણમાં ફેંકી દેવામાં આવ્યો હતો. મૃતદેહનો નિકાલ કર્યા પછી ત્રણેય હત્યારાઓ અલગ થઈ ગયા હતા. એવું પણ સામે આવ્યું છે કે સોનમ હત્યારાઓને સતત લોકેશન મોકલી રહી હતી.
सोनम ही बेवफा?
— MP Breaking News (@mpbreakingnews) June 9, 2025
क्या हत्यारों को मैसेज के जरिए एक एक जानकारी दे रही थी सोनम? होटल से निकलते समय के सीसीटीवी फुटेज में मोबाइल पर मैसेज भेजती दिखी थी सोनम...#SonamRaghuvanshi #sonamraghuwanshi #rajaraghuvanshi #MeghalayaTragedy #meghalayapolice #MeghalayaMystery pic.twitter.com/qzGm06VM00
સાન ફ્રાન્સિસ્કોથી મુંબઈ આવતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં સર્જાઈ ખામી, મુસાફરોનો કોલકાતા ઉતારવામાં આવ્યા | 2025-06-17 09:54:32
જૂનાગઢ, ગીર સોમનાથમાં રેડ એલર્ટની આગાહી, રાજકોટ સહિત સાત જિલ્લામાં ઓરેન્જ એલર્ટ | 2025-06-17 09:29:09
વિમાન દુર્ઘટનામાં 125 પીડિતોની ઓળખ DNA ટેસ્ટ દ્વારા કરવામાં આવી, 64 મૃતદેહો તેમના પરિવારોને સોંપવામાં આવ્યા | 2025-06-17 08:56:53
ACB ની મોટી કાર્યવાહી, 50 હજારની લાંચ લેતા ક્લાર્ક રંગેહાથ ઝડપાયો | 2025-06-17 08:43:35
પૂ્ર્વ સીએમ સ્વ. વિજય રૂપાણીને ગાર્ડ ઓફ ઓનર અપાયુ્ં, અંતિમ યાત્રામાં ઉમટી ભીડ | 2025-06-16 20:07:39
પુણેમાં ઈન્દ્રાયણી નદી પરનો પુલ તૂટી પડ્યો, 4 લોકોના મોત | 2025-06-15 16:54:48
કેદારનાથ નજીક હેલિકોપ્ટ ક્રેશઃ એક ગુજરાતી સહિત 7 યાત્રિકોનાં મોત - Gujarat Post | 2025-06-15 11:41:01
અમદાવાદ વિમાન દુર્ઘટનાઃ કેન્દ્રીય નાગરિક ઉડ્ડન મંત્રીની બેઠક, ડીજીસીએના અધિકારીઓ રહેશે ઉપસ્થિત- Gujarat Post | 2025-06-14 10:59:46
અસુરક્ષિત આપણું ગુજરાત..! લૂંટારાઓએ PI નાં માતા-પિતાની કરી ક્રૂર હત્યા, ચહેરા તીક્ષ્ણ હથિયારથી ચીરી નાખ્યાં, માતાના પગ કાપીને કડલાં લૂંટી લીધા | 2025-06-16 14:05:29
શું ઈરાનના મિસાઈલ હુમલામાં અદાણીના હાઈફા પોર્ટને નુકસાન થયું છે ? જાણો કંપનીએ શું કહ્યું - Gujarat Post | 2025-06-16 10:53:26
ઈરાનમાં ખતરનાક તણાવ વચ્ચે ભારતીય વિદ્યાર્થીઓની સરકારને વિનંતી, ઝડપથી પાછા લાવવાની વ્યવસ્થા કરો, ત્રણ દિવસથી ઉંઘ પણ નથી આવી | 2025-06-16 10:46:26
ઈરાન ટ્રમ્પની હત્યા કરવા માંગે છે...નેતન્યાહૂએ જણાવ્યું કે ખામેનીએ અમેરિકન રાષ્ટ્રપતિને મારવાનું કાવતરું કેમ ઘડ્યું છે ? | 2025-06-16 08:46:22