ભાજપ સરકારને ચેતવણી, માલધારી વેદના મહાસંમેલનમાં આવેલા હજારો લોકોએ સરકાર સામે વ્યક્ત કર્યો રોષ
માલધારી સમાજના 20 કરતાં પણ વધુ મંદિરોના મહંતો રહ્યાં હાજર
માલધારી સમાજના રાજકીય અને સામાજિક આગેવાનોએ મહાસંમેલનમાં લીધો ભાગ
ગાંધીનગરઃ રાજ્યમાં ચૂંટણી નજીક આવતા જ દરેક સમાજના લોકો પોતાની માંગોને લઇને સરકાર સામે મોરચો માંડી રહ્યાં છે. અડાલજ પાસેના શેરથામાં માલધારી વેદના મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતુ.જેમાં હજારોની સંખ્યામાં માલધારીઓ ઉપસ્થિત રહ્યાં છે. માલધારી સમાજના 20 કરતાં પણ વધુ મંદિરોના મહંતો, 17 કરતાં વધુ સંસ્થાઓના વડાઓ,માલધારી સમાજના રાજકીય અને સામાજિક આગેવાનોએ મહા સંમેલનમાં ભાગ લીધો હતો.
સમાજના પ્રવકતા નાગજી દેસાઈએ જણાવ્યું કે, ગુજરાત સરકાર 2022માં ઢોર અંકુશ નિયંત્રણ કાયદો લાવી છે તે કાયદો સરકારી પડતર જમીનો, ગૌચરો, તળાવો તેમના માન્યા ઉદ્યોગપતિઓને પધરાવી દેવાનું બિલ છે. આ કાયદો પાછો લેવો જોઇએ. રસ્તાઓ પર પશુઓને કારણે અકસ્માત થાય છે તે અંગેનું ઢોર અંકુશ નિયંત્રણ બિલ છે. પરંતુ સમાજની માંગણીઓ પણ સરકારે સ્વીકારવી પડશે, અમે ઢોરોને કારણે થતા અકસ્માતોની તરફેણમાં જરા પણ નથી. પરંતુ અમારા સમાજને હેરાન કરાઇ રહ્યો છે તે સહન કરાશે નહીં.
#માલધારીવેદનાસંમેલન
— Dev Desai (@devdesai74) September 18, 2022
આજે માલધારી સમાજ નું એક આહવાન શેરથા ની ધરતી પર થી આ ડબલ એન્જિન ની સરકાર જો માલધારી વિરોધી કાળો કાયદો પાછો નહીં લે તો ૨૦૨૨ મા તમારું એક એન્જિન માલધારી સમાજ બંધ કરીશે
સમાજના આગેવાન મનીષ નાગોરએ જણાવ્યું કે જો રબારી, ભરવાડ, આહીર અને ગઢવી આ 4 સમાજ એક મંચ પર ઊભો રહી જાય તો કોઈના બાપની તાકાત નથી કે આપણી સામે ઊભો રહે. માલધારી સમાજની ખામી એ છે કે આપણે એકબીજાની સાથે નથી. જે રીતે સુરતમાં ખાતરી આપી હતી એ જ રીતે હું આજે ખાતરી આપું છું કે રાજકોટ બાજુ કોઈપણ વાહન જવા નહીં દઈએ. આખું સૌરાષ્ટ્ર રોકવાની અમારામાં તાકાત છે, તેમને સરકાર સામે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. નોંધનિય છે કે છેલ્લા કેટલાક સમયથી રસ્તાઓ પર રખડતા ઢોરને તંત્ર દ્વારા જપ્ત કરાઇ રહ્યાંં છે અને સમાજ હેરાન પરેશાન થઇ રહ્યો છે. જેથી હવે સરકાર સામે સમાજે પોતાની માંગોને લઇને મોરચો માંડ્યો છે.
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો
રૂ.15 લાખની લાંચની માંગણી, રૂ.5 લાખ લેનારો એએસઆઇનો વહીવટદાર ACB ની ઝપેટમાં આવી ગયો | 2024-04-23 22:56:25
ભાજપ સામે મોરચો...ક્ષત્રિય આંદોલનના પાર્ટ- 2 ની શરૂઆત થશે. આ છે રણનીતિ | 2024-04-23 17:58:17
નિલેશ કુંભાણીના ઘરે લાગ્યા જનતાનો ગદ્દાર, લોકશાહીનો હત્યારો લખેલા પોસ્ટર- Gujarat Post | 2024-04-23 17:54:43
Loksabha Election 2024: મુકેશ દલાલ પહેલા આ પાંચ લોકોને મળી હતી સુરતથી સાંસદ બનવાની તક, જાણો કેમ છે આ બેઠક દેશમાં મહત્વની | 2024-04-23 16:01:20
Loksabha Election 2024: કોંગ્રેસના રાજમાં હનુમાન ચાલીસા સાંભળવા પણ ગુનો છે, PM મોદીનો વિપક્ષ પર જોરદાર પ્રહાર | 2024-04-23 15:29:17
Loksabha Election 2024: નિલેશ કુંભાણી હવે ભાજપમાં જોડાઇ શકે છે, ભાજપના ઉમેદવારની બિનહરીફ જીત બાદ સુરતમાં મોટી રમત | 2024-04-23 15:08:52
ગાંધીનગરના લોકસભા ઉમેદવાર અમિત શાહ પાસે કેટલી છે સંપત્તિ ? કેટલા રૂપિયાની છે લોન ? એફિડેવિટમાં આવ્યું સામે | 2024-04-20 11:57:16
Amit shah nomination: લોકસભા ચૂંટણીને લઇને ગાંધીનગર બેઠક પર અમિત શાહે નોંધાવી ઉમેદવારી | 2024-04-19 13:35:31
સાયબર ક્રાઈમ બ્રાન્ચના નકલી ઓફિસર બનીને છેતરપિંડી કરનારા આરોપીઓની ધરપકડ, ઉદ્યોગપતિને નકલી નોટિસ મોકલી હતી | 2024-04-17 08:02:16
ACB ટ્રેપઃ ગાંધીનગરની આ પંચાયતના તલાટી કમ મંત્રીએ માંગી હતી રૂ.2 લાખની લાંચ, રૂ.50 હજાર લેતા ઝડપાયા | 2024-04-16 20:36:58
ગુજરાતમાં ચૂંટણીઓના માહોલ વચ્ચે જ IPS અધિકારીઓની બદલી અને બઢતી, આ રહ્યું લિસ્ટ | 2024-04-14 12:40:25