મહારાષ્ટ્રઃ કોલ્હાપુરમાં એક ટ્રકમાંથી 63 માસૂમ બાળકો મળી આવવાની ઘટનાએ સનસનાટી મચાવી દીધી હતી. કોલ્હાપુરમાં એક ટ્રકમાં 63 નાના બાળકો હતા. 17 મે બપોરે 2 વાગ્યે આ બાળકો મળી આવ્યાં છે. આ તમામ બાળકો 8 થી 12 વર્ષની વય વચ્ચેના છે. જેઓને બિહાર અને પશ્ચિમ બંગાળથી ટ્રેન દ્વારા કોલ્હાપુર લઇ જવાયા હતા. પહેલા લાગ્યું હતુ કે કોઇ એમને ખોટી રીતે લઇ જઇ રહ્યું છે, બાદમાં આ બાળકો એક મદરેસાના સ્કૂલના હોવાનું સામે આવ્યું હતુ.
બધા બાળકો મદરેસામાં ભણતા હતા
સ્ટેશન પર પહોંચ્યાં બાદ કેટલાક હિંદુવાદી સંગઠનોએ બાળકોને ટ્રકમાં બેસાડવા અંગે પોલીસને જાણ કરી હતી.પોલીસના જણાવ્યાં અનુસાર આ તમામ બાળકો મદરેસામાં અભ્યાસ કરતા હતા. ઉનાળાના વેકેશનમાં સૌ પોતપોતાના ઘરે ગયા હતા. બધા મળીને ટ્રેનમાં કોલ્હાપુર સ્ટેશન પહોંચ્યા હતા.
પોલીસ તપાસમાં જોડાઈ
પોલીસે બાળકોને ટ્રકમાંથી ઉતારી તપાસ કરતાં તમામ બાળકો પાસે આધારકાર્ડ અને ઓળખકાર્ડ હોવાનું જણાવ્યું હતું. બાદમાં મદરેસામાંથી મૌલાનાને બોલાવવામાં આવ્યાં હતા, તેમની પાસે આ બાળકોના નામ, પરિવારના નામો અને અન્ય માહિતી હતી. પોલીસે આ બાળકોની માહિતી એક એનજીઓને પણ આપી છે. પોલીસે આ કેસની વધુ તપાસ હાથ ધરી છે.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
દિલ્હીના સાક્ષી હત્યાકાંડ પર PM મોદી થયા ભાવુક, આરોપી સાહિલે પૂછપરછ દરમિયાન કહી આ વાત | 2023-05-30 15:49:33
કેન્દ્રમાં મોદી સરકારના 9 વર્ષ પૂરા, અમિત શાહે કહી આ વાત – Gujarat Post | 2023-05-30 13:35:47
મણિપુરમાં બદમાશો બન્યાં બેકાબૂ, સેના પાસેથી હથિયારો અને દારૂગોળો છીનવી લેવાયો | 2023-05-30 10:30:41
ભાજપ સાંસદ રામભાઈ મોકરીયાની વ્યથા, કહ્યું ભાજપના જ એક નેતા મારા રૂપિયા દબાવીને બેઠા છે- Gujarat Post | 2023-05-30 10:25:19
રાજ્યમાં આજે પણ વરસાદની આગાહીથી ખેડૂતો ચિંતામાં, અમદાવાદ, ગાંધીનગર સહિત અનેક જિલ્લાઓમાં વરસાદની શક્યતા | 2023-05-30 08:49:49
સાક્ષીની ક્રૂર રીતે હત્યા કરનારો સાહિલ ઝડપાયો, 30થી વધુ વખત ચાકુના માર્યા હતા ઘા | 2023-05-29 16:01:20
દિલ્હીમાં યુવકે સગીરા પર ચપ્પુના કર્યા 30 ઘા, માથા પર પથ્થરના પ્રહાર કરીને રહેંસી નાંખી- Gujarat Post | 2023-05-29 15:27:20
વડાપ્રધાન મોદીને દેશને સમર્પિત કર્યું નવું સંસદ ભવન, સેંગોલને કર્યા સાષ્ટાંગ દંડવત- Gujarat Post | 2023-05-28 12:59:37
ભારત માટે ઐતિહાસિક ક્ષણ, નવી સંસદના ઉદ્ધઘાટન પહેલા પંડિતોએ વડાપ્રધાન મોદીને સોંપ્યું સેંગોલ | 2023-05-27 21:33:07