Wed,24 April 2024,7:38 am
Print
header

મહારાષ્ટ્રઃ બુલઢાનામાં ટ્રક પલટી જતાં ગમખ્વાર અકસ્માત થયો, 13 લોકોનાં મોત

મહારાષ્ટ્રઃ બુલઢાના જિલ્લામાં શુક્રવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. પ્રાથમિક માહિતી અનુસાર બુલઢાના જિલ્લામાં 15 મજૂરોને લઈને જતી એક ટીપ્પર ટ્રક પલટી જતાં 13 મજૂરોનાં મોત થઇ ગયા છે. સમૃદ્ધિ હાઇવે પ્રોજેક્ટ માટે મજૂરોને લઇ જતું વાહન પલટી જતાં આ મજૂરોના મોત થયા છે. વરસાદને કારણે ટ્રક પલટી ગઇ હોવાનું સામે આવ્યું છે.

પોલીસના જણાવ્યાં પ્રમાણે, દરેક મૃતક ઉત્તર પ્રદેશ અને બિહારના હતા. તેઓ મજૂરીકામ માટે મહારાષ્ટ્ર આવ્યાં હતા. હાઈવેના તાડેગામ-દસરબીડ સેક્શનથી પસાર થતી વખતે વરસાદમાં ટ્રકની સ્પીડ ખૂબ વધારે હતી. તેથી ટ્રક બેકાબુ થઈને પલટી ખાઈ ગઈ હતી. ટ્રક પલટી ખાધા પછી સળિયા નીચે દબાવાને કારણે 8 લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા. બાકીના લોકોના સારવાર દરમિયાન મોત થયા હતા. જે હાઈવે પર આ ઘટના બની છે તેનું નામ હિન્દુ હ્રદય સમ્રાટ બાલાસાહેબ ઠાકરે સ્મૃતિ હાઈવે છે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch