Tue,23 April 2024,10:33 pm
Print
header

અમદાવાદથી સૌરાષ્ટ્ર જતી બસ પલટી ગઇ, 35 મુસાફરો ઘાયલ થયા

બગોદરાઃ અકસ્માત માટે પ્રખ્યાત ધંધુકા બગોદરા હાઇવે ઉપર ફરી એક મોટો અકસ્માત સર્જાયો છે. ખડોળ પાટિયા પાસે ખાનગી ટ્રાવેલ્સના ડ્રાઇવરે સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવતા બસ પલટી ખાઇ ગઇ હતી અને આ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 56 મુસાફરોમાંથી 35 જેટલા મુસાફરો ઘાયલ થયા હતા, જેમાંથી જેમાં ત્રણ નાના બાળકો સહિત 11 લોકોને ગંભીર ઇજાઓ થતા તેમને હોસ્પિટલ ખસેડાયા છે. 

ઘટનાની જાણ થતાં ધંધુકા, ફેદરા, બગોદરા, ધોલેરા, બરવાળા, રાણપુરથી 6 જેટલી 108 એમ્બ્યુલન્સ પહોંચી ગઇ હતી અને ઘાયલોને 108 મારફતે ધંધુકા રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા. કેટલાક મુસાફરોને વધુ સારવાર માટે અમદાવાદ ખસેડાયા હતા ટ્રાવેલ્સ અમદાવાદથી સૌરાષ્ટ્ર બાજુ ટુર પર જઇ રહી હતી. અકસ્માતને પગલે પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch