Fri,19 April 2024,2:48 pm
Print
header

લોકસભામાં નાગરિકતા સંશોધન બિલના પક્ષમાં 293 વિરોધમાં 83 મત પડ્યાં, કોંગ્રેસે વિરોધ દર્શાવ્યો

નવી દિલ્હીઃ લોકસભામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નાગરિકતા સંશોધન બિલ રજૂ કર્યું હતુ, તેના પર મતદાન થયું છે, બિલના સમર્થનમાં 293 અને વિરોધમાં 83 મત પડ્યાં હતા, ચર્ચા દરમિયાન અમિત શાહે કોંગ્રેસ પર આરોપ લગાવતા કહ્યું કે કોંગ્રેસે ધર્મના આધારે દેશનું વિભાજન કરી નાખ્યું છે, જેથી આ બિલ લાવવું પડ્યું છે, જો કે શાહે એમ પણ કહ્યું કે નાગરિકતા સંશોધન બિલની વિરૂદ્ઘમાં લઘુમત્તી સમાજ નથી, માત્ર કોંગ્રેસ જ તેનો રાજકીય લાભ માટે વિરોધ કરે છે.

કોંગ્રેસના અધીર રંજન ચૌધરીએ નાગરિકતા સંશોધન બિલનો વિરોધ કરતા કહ્યું કે તેનાથી બંધારણના 14માં અનુચ્છેદનું ઉલ્લંઘન થશે, ટીએમસી, આરજેડી અને ડાબેરીઓએ પણ આ બિલનો વિરોધ કર્યો છે, સાંસદ ઓવૈસીએ નવા બિલનો વિરોધ કરતા કહ્યું કે ભારતમાં બેવડી નાગરિકતાની કોઇ જ જોગવાઈ નથી. બિલમાં સંશોધન થયું તો અમિત શાહનું નામ ઈઝરાયલના પહેલા વડાપ્રધાન ડેવિડ બેન ગુરિઓન સાથે લેવાશે.તેમના આ નિવેદનનો ભાજપે વિરોધ નોંધાવ્યો છે. બિલ પાસ થયા પછી અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનના બિન-મુસ્લિમોને ભારતનું નાગરિકત્વ આપવામાં સરળતા રહેશે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch