નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોનાની સ્થિતીમાં ત્રીજી વખત દેશને સંબોધન કર્યું છે, તેમને રાષ્ટ્રજોગ સંદેશમાં 130 કરોડ જનતાને કહ્યું કે કોરોનાના લોકડાઉનના 21માંથી 9 દિવસોમાં જનતાએ સારો સહયોગ કર્યો છે. 22 માર્ચ રવિવારના દિવસે લોકોએ કોરોના ફાઇટર્સનું તાળીઓ અને થાળીઓ વગાડીને સન્માન કર્યું હતુ, તે આજે વૈશ્વિક વિષય બની ગયો છે, દુનિયાના દેશો પણ આપણું અનુકરણ કરી રહ્યાં છે, અન્ય દેશો તાળીઓ વગાડીને કોરોના ફાઇટર્સનું સન્માન કરી રહ્યાં છે.
મોદીએ ચિંતા વ્યક્ત કરતા કહ્યું કોરોના સામેની લડાઇ એકલા લડવું મુશ્કેલ છે, બધાએ સાથે મળીને કોરોના સામે લડવાનું છે. તેમને કહ્યું કે 5 એપ્રિલ રવિવારના રોજ કોરોનાને પ્રકાશની તાકાતનો પરિચય કરાવવાનો છે, આ દિવસે 130 કરોડ દેશવાસીઓ પાસે મોદીએ 9 વાગ્યે 9 મીનિટ માંગી છે, તમારે ઘરની લાઇટો બંધ કરીને ઘરના દરવાજા કે બાલ્કની પર ટોર્ચ, મીણબત્તી, દિવો કે મોબાઇલની લાઇટ કરવાની છે,આમ કરીને પ્રકાશના આ પર્વમાં બધાએ સંકલ્પ કરવાનો છે કે આપણે એકલા નથી, આપણે બધાએ એક થઇને કોરોનાના અંધકારને હરાવવાનો છે.
મોદીએ લોકોને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા કહ્યું છે, અને ઘરે રહીને જ કોરોના સામેની લડતમાં ભાગીદારી માંગી છે, તેમને ફરીથી કોરોના ફાઇટર્સનો આભાર માન્યો છે.
પોતાનો ફાયદો ન દેખાતા નેતાઓ આમ આદમી પાર્ટી છોડી રહ્યાં છે, અલ્પેશ કથિરીયા, ધાર્મિક માલવિયાએ આપ્યું રાજીનામું | 2024-04-18 16:02:48
શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુન્દ્રા સામે ED ની મોટી કાર્યવાહી, રૂ. 97.79 કરોડની સંપત્તિ કરી જપ્ત | 2024-04-18 15:21:53
લોકસભા ચૂંટણી 2024: સાણંદમાં અમિત શાહનો ભવ્ય રોડ શો, મોટી સંખ્યામાં ઉમટ્યાં લોકો | 2024-04-18 10:51:11
પૂર, દુષ્કાળ અને ચક્રવાત..આબોહવાની આપત્તિ વિશ્વમાં આર્થિક સંકટ લાવી રહી છે, યુએને વિશ્વને આપી મોટી ચેતવણી | 2024-04-18 09:17:32
યુપીના એટામા ગમખ્વાર અકસ્માત, બેકાબૂ કાર ડિવાઇડર સાથે અથડાઈ, બે બાળકો સહિત ચારનાં મોત- Gujarat Post | 2024-04-18 08:54:32
ગુજરાતમાં AAP ઉમેદવારના પ્રચાર દરમિયાન રડવા લાગ્યા ભગવંત માન, કહ્યું- જેલના તાળાં તોડવામાં આવશે, કેજરીવાલને છોડાવવામાં આવશે | 2024-04-16 17:49:28
અમરેલીથી સ્કૂટર લઈને રાજકોટ લોકસભા ચૂંટણી લડવા રવાના થયા પરેશ ધાનાણી, કહ્યું- જીત મેળવીને પાછો આવીશ- Gujarat Post | 2024-04-16 17:08:31
જોરદાર વિરોધ પ્રદર્શન...ભાવનગરમાં ભાજપ ઉમેદવારની સભામાં ક્ષત્રિયોએ કાળા વાવટા ફરકાવ્યાં | 2024-04-16 13:28:04
અદ્ભભૂત ક્ષણ....રામલલ્લાનું સૂર્ય તિલક, અનોખી છાયા જોઈને રામભક્તો મંત્રમુગ્ધ થઇ ગયા | 2024-04-17 14:21:00
Fact Check: ફિલ્મ સ્ટાર આમિર ખાને કોંગ્રેસનો પ્રચાર નથી કર્યો, આ વીડિયો ફેક છે- Gujarat Post | 2024-04-17 09:48:13
અંદાજે 500 વર્ષો બાદ અયોધ્યાના રામ મંદિરમાં રામનવમીની ઉજવણી, રામલલ્લાનો થશે સૂર્ય અભિષેક | 2024-04-17 08:59:29