Thu,18 April 2024,4:44 pm
Print
header

LOC પર ભારતના 5 અને પાકિસ્તાનના 3 સૈનિકો માર્યા ગયાનો પાકિસ્તાનનો દાવો, ભારતે વાત ફગાવી

જમ્મુ-કાશ્મીરમાંથી 370 હટાવ્યાં બાદ પાકિસ્તાન હવે ભારત સાથે યુદ્ધની સ્થિતિ પેદા કરી રહ્યું છે, પાકિસ્તાની સેનાના પ્રવક્તા જનરલ આસિફ ગફૂરે દાવો કર્યો છે કે ભારત જમ્મુ-કાશ્મીરમાંથી દુનિયાનું ધ્યાન ભટકાવવા એલઓસી પર સ્થિતિ તંગ કરી રહ્યું છે, ગઇકાલથી ચાલી રહેલા ફાયરિંગમાં પાકિસ્તાનના 3 સૈનિકો અને ભારતના 5 સૈનિકો માર્યા ગયા હોવાનો તેમને દાવો કર્યો છે, જો કે ભારતીય સેનાએ આરોપ ફગાવી દીધા છે, એલઓસી પર આવી કોઇ ઘટના નથી બની તેમ જણાવ્યું છે.

કાશ્મીરમાં એલઓસી પર પાકિસ્તાન તેનું સૈન્ય વધારી રહ્યું છે, સામે ભારતે પણ તમામ તૈયારીઓ કરી લીધી છે, જો પાકિસ્તાન કોઇ પણ પ્રકારની અવળચંડાઇ કરે છે તો તેને જવાબ આપવા ભારતીય સેના તૈયાર છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch