Sat,20 April 2024,2:48 pm
Print
header

પાકિસ્તાનના લાહોર માર્કેટમાં બોમ્બ વિસ્ફોટ, 3 લોકોના મોત, 20 ઘાયલ- Gujarat Post

લાહોરઃ પાકિસ્તાનના લાહોર માર્કેટમાં એક પ્રચંડ બોમ્બ વિસ્ફોટના સમાચાર સામે આવ્યાં છે. ન્યૂઝ એજન્સી પીટીઆઈના જણાવ્યાં અનુસાર આ બ્લાસ્ટમાં ત્રણ લોકોના મોત થઇ ગયા છે જ્યારે 20 લોકો ઘાયલ થયા છે. પોલીસના જણાવ્યાં અનુસાર વિસ્ફોટ લાહોરના પ્રખ્યાત અનારકલી માર્કેટની પાન મંડીમાં થયો હતો, જ્યાં ભારતીય સામાન વેચાય છે. લાહોર પોલીસના પ્રવક્તા રાણા આરિફે વિસ્ફોટમાં ત્રણ લોકોના મોતની પુષ્ટિ કરી છે. ડોન ન્યૂઝ પેપરના અહેવાલ મુજબ વિસ્ફોટને કારણે આસપાસની દુકાનો અને ઈમારતોના કાચ તૂટી ગયા હતા. હજુ સુધી કોઈ આતંકી જૂથે આ વિસ્ફોટની જવાબદારી લીધી નથી.

નાયબ મહાનિરીક્ષક (પોલીસ ઓપરેશન્સ) ડૉ. મોહમ્મદ આબિદે જણાવ્યું કે, બ્લાસ્ટમાં 20 થી વધુ લોકો ઘાયલ થયા છે, જેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.કોઈ પણ બજારના સ્થળે મોટરસાઈકલ કે ટાઈમ ડિવાઈસ ઈમ્પ્લાન્ટ થવાની શક્યતાને નકારી ન હતી. તેમણે કહ્યું, 'વિસ્ફોટના સ્થળે પડેલા ખાડાઓએ ટાઈમ ડિવાઈસનો ઉપયોગ કરવાનો સંકેત આપ્યો છે. જો કે, અમે હાલમાં આની પુષ્ટિ કરી શકતા નથી. કાઉન્ટર ટેરરિઝમ ડિપાર્ટમેન્ટ અને બોમ્બ ડિસ્પોઝલ ઓફિસર ઘટનાસ્થળે પહોંચી ગયા છે, વિસ્ફોટની પ્રકૃતિની તપાસ કરી રહ્યાં છે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch