ફાઇલ ફોટો
લદ્દાખઃ એલએસી વિવાદને લઈને ચીન સાથેના ઘર્ષણને લઈને કોંગ્રેસે મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા છે.કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે ભૂલી જાઓ કે મોદી ચીન સામે ઉભા રહી શકે છે. વડાપ્રધાન મોદી ચીનનું નામ લેવાની પણ હિંમત ધરાવતા નથી.રાહુલ ગાંધીએ પોતાના ટ્વિટમાં એક સમાચાર શેર કર્યા છે, જેમાં કહેવામાં આવ્યું છે કે, ચીની અતિક્રમણની કબૂલાત કરતો દસ્તાવેજ સંરક્ષણ મંત્રાલયની વેબસાઇટ પરથી હટાવવામાં આવ્યો છે. હકીકતમાં સંરક્ષણ મંત્રાલયે ગુરુવારે તેની વેબસાઇટ પર એક દસ્તાવેજ અપલોડ કર્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે લદ્દાખના ઘણા વિસ્તારોમાં ચીની સેનાના અતિક્રમણની ઘટનાઓ વધી છે.
દસ્તાવેજમાં સંરક્ષણ મંત્રાલયે સ્વીકાર્યું હતું કે મે મહિનાથી ચીન એલએસી પર સતત ઘૂસણખોરી વધારી રહ્યું છે. જો કે,બાદમાં સંરક્ષણ મંત્રાલયે તેની વેબસાઇટ પરથી આ દસ્તાવેજ હટાવી દીધો હતો, બીજી તરફ, કોંગ્રેસના નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી અજય માકને પણ આ મામલે એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે કહ્યું કે ચીની સેનાએ ભારતની જમીનમાં ઘૂસણખોરી કરી હતી. આપણી સેના એલએસી ઉપર લડી રહી છે, પરંતુ સરકારનું નિવેદન ભ્રામક છે. ITBP પીછેહઠ કરી રહ્યું છે, પરંતુ ચીની સૈન્ય પીછેહઠ કરી રહ્યું નથી. કોંગ્રેસે હવે 20 સૈનિકોની શહાદત અને ચીનની દાદાગીરી મામલે મોદી સરકારનો ઘેરાવો કર્યો છે અને સરકાર પાસે જવાબ માંગ્યો છે.
અજય માકને કહ્યું છે કે પીએમ મોદીએ કહ્યું હતુ કે અમારા વિસ્તારમાં કોઈએ પ્રવેશ કર્યો નથી, કે કોઈએ અમારી જમીન પર કબજો કર્યો નથી. પરંતુ સંરક્ષણ મંત્રાલયે તેની વેબસાઇટ પર જૂનમાં થયેલી પ્રવૃત્તિઓ વિશે માહિતી આપી છે. તે પછી આ માહિતી દૂર કરવામાં આવી હતી. શું સંરક્ષણ મંત્રાલય વડાપ્રધાનને બચાવી રહ્યું છે ? અજય માકને કહ્યું કે ગલવાન ખીણમાં ચીનની દખલ વધી રહી છે. 17-18 મેના રોજ ચીની સેનાએ વિવિધ વિસ્તારોમાં અતિક્રમણ કર્યું, આ બાબતો સંરક્ષણ મંત્રાલયના કાગળોમાં કહેવામાં આવી છે, પરંતુ પીએમ મોદીએ 19 જૂને તેનો ઇનકાર કર્યો હતો.
કોંગ્રેસ નેતાએ કહ્યું કે 15 જૂને ગલવાન ખીણમાં બંને દેશોની સેના વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. સંરક્ષણ મંત્રાલયના કાગળોમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે એલએસી પરનો વિવાદ લાંબા સમય સુધી ચાલુ રહેવાની સંભાવના છે. તેમણે કહ્યું કે અમે ઇચ્છીએ છીએ કે સત્ય બહાર આવે. સંરક્ષણ મંત્રાલયના કાગળો સાચા છે કે પીએમ મોદીનું નિવેદન અને કેમ પેપર્સને વેબસાઇટ પરથી હટાવવામાં આવ્યાં. અમને તેના વિશે માહિતી જોઈએ છે. અજય માકને કહ્યું કે અમે ઇચ્છીએ છીએ કે સરકાર તેનો રોડમેપ બતાવે. આ ડેડલોક કેટલો સમય ચાલશે અને શિયાળો આવી રહ્યો છે, તેના માટે એલએસી પર તમારી શું તૈયારીઓ છે. કોંગ્રેસની માંગ છે કે સરકાર દેશની જનતાને સત્ય કહે. સરકારે પરિસ્થિતિને પહોંચી વળવા તેની વ્યૂહરચના શું છે તે જણાવવું જોઈએ.
અજય માકને પણ સરકારને સંસદ સત્ર બોલાવવા માંગ કરી હતી.તેમણે કહ્યું હતું કે સરકારે સંસદનું સત્ર બોલાવવું જોઈએ, જેથી ચીન તરફથી ડેડલોક અંગે ચર્ચા કરવામાં આવે. આ કોરોના અને સ્લોડાઉન પણ એક મહત્વપૂર્ણ મુદ્દો છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો..
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ન મળી રાહત, EDના રિમાન્ડ 1 એપ્રિલ સુધી લંબાવ્યા | 2024-03-28 17:41:01
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
આજે કોર્ટમાં દારૂ કૌભાંડના નાણાંનો ખુલાસો થશે, અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતાએ કર્યો દાવો | 2024-03-28 08:30:56
Fact Check: I.N.D.I.A ગઠબંધને મંડી સીટ પર કંગના રનૌત સામે ગોવિંદાને ટિકિટ આપ્યાંનો આ દાવો ખોટો છે- Gujarat Post | 2024-03-27 11:23:23
નીતિન પટેલ ફરી બગડ્યાં, કહ્યું- જેના ઘરમાં બૈરૂ પાણી પણ નથી પીવડાવતું તેવા અમને સલાહ આપે છેઃ Gujarat Post | 2024-03-27 11:18:18
ઉત્તરાખંડઃ કાર સેવા ડેરાના વડા બાબા તરસેમ સિંહની ગોળી મારી હત્યા – Gujarat Post | 2024-03-28 11:28:41
લોકસભા ચૂંટણીઃ ભાજપે બિહાર, પશ્ચિમ બંગાળ અને મધ્ય પ્રદેશના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી- Gujarat Post | 2024-03-27 10:30:03