Thu,25 April 2024,10:29 am
Print
header

સરદાર પટેલના સ્ટેચ્યૂ ઓફ યુનિટિ પાસે એક પણ કોંગ્રેસીનો ફોટો બતાવો, શાહે કહ્યું અહીં ફોટો પડાવનારાની ટિકિટ કપાઇ જાય- Gujarat Post News

ચૂંટણી આવી એટલે કોંગ્રેસીયાઓ નવા કપડા પહેરીને તૈયાર થઈ જાય છે

સરદાર સાહેબના સ્ટેચ્યૂ ઓફ યુનિટિ પાસે એક પણ કોંગ્રેસીનો ફોટો નથી, જો ફોટો પડાવ્યો છે તો તેમની ટિકિટ કપાઈ જાયઃ શાહ 

કોંગ્રેસ પહેલાથી સરદાર વિરોધી રહી છેઃ શાહ 

આણંદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ દ્વારા ચાલી રહેલા પુરજોશ પ્રચાર અંતર્ગત આજે અમિત શાહની ખંભાતમાં સભા હતી. શાહે જનસભાને સંબોધન કરતા કહ્યું કે, ભારતીય જનતા પાર્ટીએ 1995થી 2022 સુધી મોટું પરિવર્તન કરવાનું કામ કર્યું છે. તમારા પ્રેમ અને આશીર્વાદને કારણે ગુજરાતમાં પરિવર્તન આવ્યું છે. ફરીવાર 2022 ચૂંટણી આવી એટલે કોંગ્રેસીયાઓ નવા કપડા પહેરીને તૈયાર થઈ ગયા છે.અત્યારે મોટા બોર્ડ જોયા જેમાં કોંગ્રેસનું કામ બોલે છે. જે પાર્ટી 32 વર્ષથી સત્તામાં જ નથી તો કામ કઈ રીતે કર્યુંં, ગુજરાતમાં શાંતિ સ્થાપિત કરી, વીજળી 24 કલાક કરાિ, રોડ-રસ્તાઓ નવા બન્યા અને આ બધુ અમારી ભાજપ સરકારે કર્યું છે. કોંગ્રેસ માત્ર ખોટા ભાષણો આપે છે, આપણા ગુજરાત રાજ્યથી શરુઆત કરી અને સમગ્ર દેશમાં પરિવર્તનનો માહોલ ઉભો કર્યો છે.

કોંગ્રેસ હંમેશા સરદાર વલ્લભભાઇ પટેલની વિરોધી રહી છે. તેઓ ઇચ્છતા હતા કે સરદાર પટેલનો અગ્નિદાહ પણ સન્માન સાથે ન થાય, સરદારને ભારતરત્ન ન મળે તે માટે પેંતરા કર્યાં હતા.ત્યારે પીએમ મોદીએ સૌથી મોટું સ્ટેચ્યૂ બનાવીને તેમને શ્રદ્ધાંજલી આપવાનું કામ કર્યું છે.

અમિત શાહે કહ્યું કે નેહરુથી લઈને સોનિયા ગાંધી સુધીના આ પરિવારે ભારતમાં સરદાર પટેલનું નામ મોટું ન થાય તે માટે ષડયંત્રો કર્યાં છે, પરંતુ નરેન્દ્ર મોદીએ સરદારનું સ્ટેચ્યૂં બનાવ્યું અને હવે દુનિયાભરથી લોકો અહીં જોવા આવે છે.સરદાર સાહેબના સ્ટેચ્યૂ પાસેનો ફૂલ અર્પણ કરતો કોઇ કોંગ્રેસીનો ફોટો જોવા મળે તો જણાવશો.તેઓ અહીં ન જાય અને જાય તો તેમની ટિકિટ કપાઈ જાય. 

અમિત શાહે કહ્યું કે આ કાશ્મીર આપણું છે, 370ની કલમ પહેલા જ હટવી જોઈતી હતી, પરંતુ 70 વર્ષ સુધી આ લોકો તેને વ્હાલ કરતા રહ્યાં, તેમની વોટ બેન્ક નારાજ થઈ જાય તેની ચિંતા તેમને દેશને બરબાદ કર્યો.પરંતુ અમે ભાજપના કાર્યકર્તા છીએ અમારા માટે ભારત માતાની એકતા અને અખંડિતતા મહત્વની છે. આ કોંગ્રેસીયાઓ, મમતા, સમતા, સપા આ બધું ટોળું આવ્યું અને આવું ના કરશો, કાશ્મીરમાં લોહીની નદીઓ વહી જશે તેવું કહેતા હતા, પરંતુ કોઈની કાંકરી ચલાવવાની પણ હિંમત નથી થઈ. કાશ્મીર આજે ભારત માતાનું મુગટ બનીને દુનિયાની સામે ઉભું છે. આ કામ નરેન્દ્ર મોદી જ કરી શકે છેે અને તેમને કરી બતાવ્યુંં છે.  

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch