નવી દિલ્હીઃ કથક સમ્રાટ નૃત્યાંગ પંડિત બિરજુ મહારાજનું હૃદયરોગના હુમલાથી નિધન થયું છે.પદ્મ વિભૂષણ પુરસ્કાર વિજેતા બિરજુ મહારાજે 83 વર્ષની ઉંમરે દિલ્હીમાં અંતિમ શ્વાસ લીધા હતા. બિરજુ મહારાજના અવસાનના સમાચારથી સંગીતપ્રેમીઓમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. મોડી રાત્રે બિરજુ મહારાજ તેમના પૌત્ર સાથે રમી રહ્યાં હતા ત્યારે તેમની તબિયત બગડી હતી, તેઓ બેભાન થઈ ગયા હતા. તેમને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યાં હતા. થોડા દિવસો પહેલા તેમનું કિડનીની બિમારીનું નિદાન થયું હતું. તેની સારવાર ચાલી રહી હતી. ગાયિકા માલિની અવસ્થી અને અદનાન સામી સહિત કલા, ફિલ્મ અને સંગીત જગતની વિવિધ હસ્તીઓએ તેમને શ્રદ્ધાંજલિ આપી છે.
બિરજુ મહારાજ કથક નૃત્યાંગના તેમજ શાસ્ત્રીય ગાયક હતા.
બિરજુ મહારાજ કથકના પર્યાય હતા. તેઓ લખનઉના કાલકા બિન્દાદિન ઘરાનાના સભ્ય હતા.બિરજુ મહારાજનું પૂરું નામ બ્રિજ મોહનનાથ મિશ્ર હતું. તેમનો જન્મ 4 ફેબ્રુઆરી 1937ના રોજ લખનઉમાં પ્રખ્યાત કથક નૃત્યાંગના પરિવારમાં થયો હતો. બિરજુ મહારાજ કથક નૃત્યાંગના તેમજ શાસ્ત્રીય ગાયક હતા. બિરજુ મહારાજના પિતા અને ગુરુ અચ્છન મહારાજ, કાકા શંભુ મહારાજ અને લચ્છુ મહારાજ પણ પ્રખ્યાત કથક નર્તકો હતા.
એક મહિનાથી સારવાર ચાલી રહી હતીઃ રાગિણી મહારાજ
તેમની પૌત્રી રાગિણી મહારાજે કહ્યું કે બિરજુ મહારાજની એક મહિનાથી સારવાર ચાલી રહી હતી. ગઈકાલે રાત્રે 12.15 થી 12:30 દરમિયાન તે અચાનક બેભાન થઈ ગયા હતા. અમે તરત જ તેમને હોસ્પિટલ લઈ ગયા, પરંતુ તેમને બચાવી શકાયા નહીં. તેમને ગેજેટ્સનો પણ ઘણો શોખ હતો. તે કહેતા હતા કે જો તે ડાન્સર ન બન્યા હોત તો મિકેનિક બની ગયા હોત. તેમનો હસતો ચહેરો હંમેશા મારી નજર સામે રહેશે.
1983માં પદ્મ વિભૂષણથી સન્માનિત
પંડિત બિરજુ મહારાજને 1983માં પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા હતા. તેમને સંગીત નાટક અકાદમી પુરસ્કાર અને કાલિદાસ સન્માન પણ મળ્યાં હતા. બનારસ હિંદુ યુનિવર્સિટી, ખૈરાગઢ યુનિવર્સિટીએ બિરજુ મહારાજને માનદ ડોક્ટરેટની પદવી એનાયત કરી હતી.
સંગીતની લય બંધ થઈ ગઈઃ માલિની અવસ્થી
માલિની અવસ્થીએ લખ્યું, 'આજે ભારતીય સંગીતની લય બંધ થઈ ગઈ છે. અવાજો શાંત થઈ ગયા. કિંમત ઘટીને શૂન્ય થઈ ગઈ. કથકના બાદશાહ પંડિત બિરજુ મહારાજ રહ્યાં નથી. કાલિકાબિંદાદિન જીની ભવ્ય પરંપરાની સુવાસ સમગ્ર વિશ્વમાં ફેલાવનાર મહારાજ જી અનંતમાં વિલીન થઈ ગયા.
અમે કળાના સંસ્થાન ગુમાવ્યા છેઃ અદનાન સામી
અદનાન સામીએ સોશિયલ મીડિયા પર લખ્યું - મહાન કથક ડાન્સર પંડિત બિરજુ મહારાજના નિધનના સમાચારથી ખૂબ જ દુઃખી છું. આપણે કલા ક્ષેત્રે તેમને ગુમાવ્યાં છે. તેમણે પોતાની પ્રતિભાથી પેઢીઓને પ્રભાવિત કરી છે.
દેવદાસ, બાજીરાવ મસ્તાની સહિત અનેક ફિલ્મો માટે ડાન્સ કમ્પોઝિશન કર્યું
બિરજુ મહારાજે દેવદાસ, દેઢ ઇશ્કિયા, ઉમરાવ જાન અને બાજી રાવ મસ્તાની જેવી ફિલ્મો માટે નૃત્ય રચનાઓ કરી હતી.તેમણે સત્યજીત રેની ફિલ્મ 'શતરંજ કે ખિલાડી'માં પણ સંગીત આપ્યું હતું.ફિલ્મ 'વિશ્વરૂપમ'માં તેમના ડાન્સ કમ્પોઝિશન માટે તેમને 2012માં નેશનલ ફિલ્મ એવોર્ડથી નવાજવામાં આવ્યાં હતા. 2016 માં તેમને બાજીરાવ મસ્તાનીના ગીત મોહે રંગ દો લાલ માટે કોરિયોગ્રાફી માટે ફિલ્મફેર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો
નિલેશ કુંભાણી આખરે પરિવાર સાથે ક્યાં છુપાયા છે ? જાણો સૌથી મોટા સમાચાર- Gujarat Post | 2024-04-24 21:56:55
ગુજરાતની આ લોકસભા બેઠક પરના કોંગ્રેસના ડમી ઉમેદવારે પાર્ટી છોડી દીધી, તેમના પત્નીનું પણ રાજીનામું- Gujarat Post | 2024-04-24 21:51:35
ACB ટ્રેપ- ક્લાસ-2 મહિલા ડ્રગ્સ ઇન્સ્પેક્ટર આટલા રૂપિયાની લાંચ લેતા ઝડપાઇ ગયા, અમદાવાદનો બનાવ | 2024-04-24 21:42:11
જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખના વાણી વિલાસથી ક્ષત્રિયોએ પક્ષ સાથે છેડો ફાડ્યો- Gujarat Post | 2024-04-24 17:36:01
ગેનીબેનની ચીમકી...જો પોલીસવાળા ગામમાં આવીને હેરાન કરતા હોય તો તેમને સબક શિખવી દઇશું | 2024-04-24 17:28:29
કારમાંથી મળ્યાં નોટોના બંડલ, 1.3 કરોડ રોકડા, 4 કિલો ચાંદી સાથે દંપત્તિ ઝડપાયું- Gujarat Post | 2024-04-24 16:42:34
Fact Check: શું પીએમ મોદી કોઈ યોજના હેઠળ વિદ્યાર્થીઓને લેપટોપ આપી રહ્યાં છે? AICTEએ જણાવ્યું સત્ય | 2024-04-23 16:17:32
Loksabha Election 2024: કોંગ્રેસના રાજમાં હનુમાન ચાલીસા સાંભળવા પણ ગુનો છે, PM મોદીનો વિપક્ષ પર જોરદાર પ્રહાર | 2024-04-23 15:29:17
PM Modi Statement: મોદીના નિવેદન પર થયો હંગામો, કોંગ્રેસે ચૂંટણી પંચને કરી ફરિયાદ, જાણો શું કહ્યું હતું ? | 2024-04-22 17:40:29
PM Modi in Aligarh: કોંગ્રેસ આવશે તો તમારા 2 માંથી એક ઘર છીનવી લેશે, મહિલાઓના મંગળસૂત્ર પણ છોડશે નહીં | 2024-04-22 17:31:25
તમે સ્વાદમાં ને સ્વાદમાં ઘણી બધી કાકડી ખાઇ જાઓ છો, તો તમારા સ્વાસ્થ્યને થઈ શકે છે આ 5 નુકસાન | 2024-04-23 09:16:35
Benefits of Green Peppers: લીલું કેપ્સિકમ છે આ 5 રોગોની છે દવા, આજથી જ ખાવાનું શરૂ કરો | 2024-04-22 08:42:44
નારિયેળનું પાણી જ નહીં, તેની મલાઈ પણ છે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક, જાણો કઈ કઈ સમસ્યાઓમાં છે અસરકારક ? | 2024-04-21 18:30:59
ઉનાળામાં રોગો સામે લડવા માટે આ ફળ એકલું જ પૂરતું છે, તે અનેક રોગોમાં દવાનું કામ કરે છે | 2024-04-21 07:33:33
જાંબલી રંગનું આ શાક સ્વાસ્થ્ય માટે અમૃતનો સાગર છે, અઠવાડિયામાં એકવાર પણ તેનું સેવન કરશો તો દુ:ખનો સમય દૂર થશે | 2024-04-20 08:15:10