મીઠા વગરનો ખોરાક ઝાંખો પડવા માંડે છે, તેને સામાન્ય મીઠું અથવા સોડિયમ ક્લોરાઇડ કહેવામાં આવે છે. એક દિવસમાં માત્ર 5 ગ્રામ મીઠું (લગભગ 2 ગ્રામ સોડિયમ)નું સેવન કરવું જોઈએ. વધુ મીઠાના સેવનથી હાઈ બ્લડ પ્રેશર થઈ શકે છે, જેનાથી હૃદયરોગનો ખતરો વધી જાય છે.
મીઠું તમારું જીવન લઈ શકે છે
ઘણા દેશોમાં લોકો માછલીની ચટણી અથવા સોયા સોસ દ્વારા મીઠાનું સેવન કરી રહ્યાં છે. જો તમે મીઠાંનું સેવન મર્યાદિત કરશો, તો તમે તમારી જાતને કાર્ડિયોવેસ્ક્યુલર રોગથી બચાવી શકશો.તેનાથી કિડનીની બીમારીનો ખતરો વધી જાય છે.
શા માટે મીઠાનો વપરાશ મહત્વનો છે ?
એવું નથી કે મીઠું આપણા શરીર માટે હાનિકારક છે. તેમાં સોડિયમ અને પોટેશિયમ બંને મળી આવે છે, જે શરીરમાં પાણીનું સ્તર યોગ્ય માત્રામાં રાખે છે. તેની મદદથી ઓક્સિજન શરીરના તમામ ભાગોમાં પહોંચી જાય છે. તે નર્વસ સિસ્ટમ અને વેસ્ક્યુલર સિસ્ટમના કાર્યમાં પણ મદદ કરે છે.
આ વસ્તુઓમાં વધુ સોડિયમ હોય છે
- પ્રોસેસ્ડ મીટ
- તૈયાર કરેલું માંસ
- સોઉઝેડ
- પીત્ઝા
- સફેદ બ્રેડ
- મીઠું નાખેલા બદામ
- કુટીર ચીઝ
- સલાડ ડ્રેસિંગ
- ફ્રેન્ચ ફ્રાઈઝ
- બટાકાની ચિપ્સ
- હોટ ડોગ
- અથાણું
- સોયા સોસ
- ફિશ સોસ
- ટોમેટો સોસ
- ફ્રોઝન સીફૂડ
(Disclaimer- આ લેખમાં દર્શાવેલા સૂચનો માત્ર સામાન્ય માહિતીના હેતુ માટે છે, તેને વ્યાવસાયિક તબીબી સલાહ તરીકે ન લેવા જોઈએ. કોઈ પણ રોગ માટે ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે. GUJARATPOST NEWS આ માહિતીને લગતી કોઇ પણ જવાબદારી સ્વીકારતું નથી)
આ કાળા બીજ ડાયાબિટીસને નિયંત્રિત કરવામાં ફાયદાકારક છે, તેનો ઉપયોગ આવી રીતે કરવો જોઇએ | 2024-04-25 08:54:01
તમે સ્વાદમાં ને સ્વાદમાં ઘણી બધી કાકડી ખાઇ જાઓ છો, તો તમારા સ્વાસ્થ્યને થઈ શકે છે આ 5 નુકસાન | 2024-04-23 09:16:35
Benefits of Green Peppers: લીલું કેપ્સિકમ છે આ 5 રોગોની છે દવા, આજથી જ ખાવાનું શરૂ કરો | 2024-04-22 08:42:44
નારિયેળનું પાણી જ નહીં, તેની મલાઈ પણ છે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક, જાણો કઈ કઈ સમસ્યાઓમાં છે અસરકારક ? | 2024-04-21 18:30:59
ઉનાળામાં રોગો સામે લડવા માટે આ ફળ એકલું જ પૂરતું છે, તે અનેક રોગોમાં દવાનું કામ કરે છે | 2024-04-21 07:33:33