Thu,25 April 2024,9:53 pm
Print
header

પ્રેમનો કરૂણ અંજામ....પ્રેમલગ્ન કરનાર કપલની કૂહાડીના ઘા મારીને હત્યા કરી

જૂનાગઢઃ ચાર મહિના પહેલા એક પ્રેમી યુગલે પ્રેમ લગ્ન કર્યા હતા, તેમની હવે કૂહાડીના ઘા મારીને હત્યા કરી નાખવામાં છે, કિસ્સો માંગરોળના દરસાલી ગામનો છે,સાંજના સમયે વંથલી-કેશોદ હાઇવે પર યુવક-યુવતી બાઇક પર જઇ રહ્યાં હતા ત્યારે બાઇક પર આવેલા અજાણ્યા શખ્સોએ કુહાડીના ઘા મારીને તેમને નીચે પાડી દીધા હતા અને યુવક-યુવતીની હત્યા કરી નાખી હતી. લોહીલુહાણ હાલતમાં તેમની લાશો પોલીસને મળી છે. મૃતક યુવક દરસાલી ગામનો સંજય રામ હતો અને યુવતીનું નામ ધારાબેન રામ હતુ.   

હત્યાની ઘટના પછી જિલ્લા પોલીસ વડા સૌરભસિંઘે હત્યારાઓની શોધી કાઢવા ચક્રો ગતિમાન કર્યા છે. વંથલી પેટ્રોલપંપ પાસે જ્યાં ઘટના બની હતી, તેની આસપાસના સીસીટીવી ભેગા કરવામાં આવી રહ્યાં છે, તપાસ થઇ રહી છે ભાગીને પ્રેમ લગ્ન કરનાર આ કપલની સમાજના દુશ્મનોએ હત્યા કરી છે કે અન્ય કોઇ મામલે તેમની હત્યા કરી દેવાઇ છે. 

નોંધનિય છે કે આ કપલે પરિવારોની વિરૂદ્ધમાં પ્રેમ લગ્ન કર્યા હતા, લગ્ન બાદ ધારાના પિતા ભાણાભાઇ પરમારનું હાર્ટએટેકથી મોત થઇ ગયું હતુ. ધારાનો મોટોભાઇ રાજુ પરમાર અને તેનો કૌટુંબિક ભાઇ અંકિત લગ્નની વિરૂદ્ધમાં હોવાનું સામે આવ્યું છે. ત્યારે હાલમાં પોલીસે સંજયના બહેન વનિતાની પૂછપરછ કરીને આરોપીઓની શોધખોળ શરૂ કરી છે, કારણ કે તેમના બાઇક પર હુમલો થયો ત્યારે સંજયની બહેન ભાઇ-ભાભી સાથે જ હતા. 

વધુ સમાચારો માટે અમારા Facebook પેજને Like કરો

Facebook પેજની લિંક

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો..

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar