Thu,25 April 2024,6:18 am
Print
header

જૂનાગઢઃ ભારતી આશ્રમના શિષ્યએ કરી આત્મહત્યા, લમણાં પર જાતે જ મારી દીધી ગોળી

જૂનાગઢઃ ભવનાથમાં આવેલા ભારતી આશ્રમના શિષ્ય અને ખેતલિયા દાદાના મંદિરના મહંત રાજ ભારતી બાપુએ પોતાની પિસ્તોલથી લમણા પર ગોળી મારીને આત્મહત્યા કરી લીધી છે. તેમને લોહીલુહાણ હાલતમાં સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જો કે સારવાર મળે તે પહેલાં જ તેમનું મોત નીપજ્યું હતું. આ મામલે પોલીસે પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે. થોડા દિવસ અગાઉ રાજ ભારતીબાપુ દારૂ પીતા હોવાનો વીડિયો અને અન્ય કેટલાક ઓડિયો વાઇરલ થયા હતા, જેને લીધે આ પગલું ભર્યું હોવાની વાત પ્રાથમિક તપાસમાં સામે આવી છે. 

થોડા દિવસો પહેલાં રાજ ભારતીબાપુનો એક વીડિયો વાઇરલ થયો હતો. જેમાં તેઓ દારૂ પીતા નજરે પડ્યા હતા.ઉપરાંત તેમના કેટલાક ઓડિયો વાઇરલ થયા હતા, જેને લઇને સાધુ-સંતો અને ભક્તોમાં તેમના પ્રત્યે ઘૃણાનો ભાવ જોવા મળી રહ્યો હતો. તેને કારણે ડિપ્રેશનમાં આવીને તેમને આ પગલું ભર્યું હોવાની ચર્ચાઓ થઇ રહી છે. હાલમાં પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch