Tue,23 April 2024,7:15 pm
Print
header

જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં સેનાએ ત્રણ આતંકીઓને ઠાર કર્યા, હિઝબુલ સાથે જોડાયેલા હતા

જમ્મુ-કાશ્મીર: અનંતનાગમાં ભારતીય સુરક્ષા બળો અને આતંકીઓ વચ્ચે થયેલા એન્કાઉન્ટરમાં ત્રણ આતંકવાદીઓને ઠાર કરી દેવાયા છે, અહીના પઝલપોરામાં આતંકીઓ છુપાયા હોવાની સેનાને માહિતી મળી હતી, જેને આધારે સેનાની ટીમ અહી પહોંચી ગઇ હતી, આતંકવાદીઓએ સેનાના જવાનો પર ફાયરિંગ કર્યું હતુ, સામે જવાનોએ જવાબ આપતા ફાયરિંગમાં મુઝાહિદ્દીન કમાન્ડર નાસિર સહિત ત્રણ આતંકીઓને ઠાર કરી દેવાયા છે, ત્રણેય પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન હિઝબુલ મુઝાહિદ્દીન સાથે જોડાયેલા હતા અને પાકની જમીન પર ટ્રેનિંગ લઇને ભારતમાં ઘૂસી આવ્યાં હતા, સેનાને માહિતી હતી કે આ આતંકીઓ કોઇ મોટા હુમલાને અંજામ આપવા જઇ રહ્યાં હતા.

કાશ્મીરમાંથી કલમ 370 દૂર કર્યા બાદ હવે આતંકવાદીઓ કંઇ ન કરી શકતા કાશ્મીરની જનતાને નિશાન બનાવી રહ્યાં છે, તેઓ અહી નિર્દોષ નાગરિકોની હત્યા કરી રહ્યાં છે, બીજી તરફ ભારતીય સેના સર્ચ ઓપરેશન કરીને આતંકીઓનો ખાત્મો કરી રહી છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch