Sat,20 April 2024,8:41 pm
Print
header

જિયો ટીવી લાવ્યું ભગવાન અમરનાથની લાઇવ આરતી, હવે પવિત્ર ગુફામાં ભગવાન શિવજીની ઓનલાઇન પૂજા કરી શકાશે

જિયો દ્વારા ખૂબ જ ઓછા સમયમાં જરૂરી નેટવર્ક અને માળખાગત સુવિધા ઊભી કરવામાં આવી

જિયો ટીવી પર લાઇવ આરતી જોવા માટે ‘શ્રી અમરનાથ શ્રાઇવ બોર્ડ’ દર્શન ચેનલ શરૂ કરવામાં આવી

જમ્મુઃ રિલાયન્સ જિયો દ્વારા અમરનાથ ગુફાની આરતીનું લાઇવ સ્ટ્રીમિંગ કરવાનું શરૂ દેવામાં આવ્યું છે. બાબા અમરનાથના ભક્તો હવે ઘેર બેઠાં ભગવાનના દર્શન કરી શકશે. મુશ્કેલ પહાડી માર્ગો અને પડકારજનક સ્થિતિ હોવા છતાં લાઇવ સ્ટ્રીમિંગ કરવા માટે જિયો દ્વારા ખૂબ જ ઓછા સમયમાં જરૂરી નેટવર્ક અને માળખાગત સુવિધા ઊભી કરવામાં આવી હતી, ગત અઠવાડિયે જમ્મુ કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાના હસ્તે અમરનાથ શ્રાઇન બોર્ડની વિવિધ ઓનલાઇન સેવાઓનો શુભારંભ કરવામાં આવ્યો હતો, જે ભક્તોને પોતાના આરાધ્ય દેવની પૂજા-અર્ચનાનો સાક્ષાત અનુભવ કરાવી શકે. “લાખો ભક્તો આ વર્ષે કોવિડ-19 મહામારીને કારણે અમરનાથની  પવિત્ર ગુફાના દર્શન કરી શક્યા નથી. તેમના માટે શ્રાઇન બોર્ડ વર્ચ્યૂઅલ મોડમાં દર્શન, હવન અને પ્રસાદ સહિતની સુવિધાઓ લાવ્યું છે.

“ભક્તો હવે પૂજા, હવન અને પ્રસાદ ઓનલાઇન બુક કરી શકે છે, ગુફાના પૂજારી ભક્તોના નામે પૂજા હવન કરાવશે.બુક કરાવેલો પ્રસાદ ભક્તોના ઘર આંગણે પહોંચાડવામાં આવશે,” તેમ બોર્ડના પ્રવક્તાએ જણાવ્યું હતું. અમરનાથ શ્રાઇન બોર્ડ દ્વારા લોન્ચ કરવામાં આવેલી નવી ઓનલાઇન સેવાઓમાં હવે ભક્તો સમગ્ર વિશ્વમાં ગમે ત્યાંથી પવિત્ર ગુફામાં ભગવાન શિવજીની ઓનલાઇન વર્ચ્યૂઅલ પૂજા અને હવન કરી શકશે. રિલાયન્સ જિયોએ જિયો ટીવી પર લાઇવ આરતીનો અલૌકિક અનુભવ ભક્તો સમક્ષ રજૂ કર્યો છે.ઉપરાંત સમગ્ર દેશમાંથી કરોડો ભક્તો જિયોની અન્ય વિવિધ એપ્લિકેશનો પરથી કેટલીક સેવાઓ મેળવી શકે છે.

હાલ ચાલી રહેલી કોરોના મહામારીને પગલે અમરનાથ શ્રાઇન બોર્ડ (SASB) દ્વારા વર્ષ 2021 માટે અમરનાથ યાત્રા રદ્દ કરી દેવામાં આવી છે, તેના પરિણામે આ વર્ષે ભક્તો પવિત્ર શિવલિંગના દર્શન નહીં કરી શકે. આ સ્થિતિમાં ભક્તો તેમના આરાધ્ય દેવની ભક્તિ ઘરબેઠા કરી શકે તે માટે જિયો દ્વારા જિયો ડિજિટલ લાઇફ થકી એક અનોખો વર્ચ્યૂઅલ અનુભવ તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં જિયો ટીવીની સમર્પિત ચેનલ પર લાઇવ આરતીનું સ્ટ્રીમિંગ નિહાળી શકશે જિયોમીટ પર વર્ચ્યૂઅલ પૂજા અને હવન કરી શકાશે. તેના દ્વારા ભક્તો વર્ચ્યૂઅલ પૂજા રૂમમાં જઈને પૂજારીની હાજરીમાં પોતાના નામ અને ‘ગોત્ર’ના ઉલ્લેખ સાથે પૂજા કરી શકશે. ઉપરાંત જિયોસાવન પર ચલો અમરનાથ નામનું પ્લેલિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે જેમાં અમરનાથને સમર્પિત ગીતો અને ‘ભજનો’ માણી શકશે. જિયોચેટની અમરનાથ દર્શન ચેનલ પર લાઇવ દર્શન, આરતીના સમય, પૂજા સહિતની પ્રક્રિયા માટેની માહિતી મેળવી શકશે અને દાન પણ આપી શકશે અને તે સાથે અહીં લાઇવ અને રેકોર્ડેડ આરતી પણ જોઈ શકાય છે. અમરનાથ સુધી પહોંચવાની મુશ્કેલ પહાડીઓ અને પડકારજનક સ્થિતિઓ હોવા છતાં જિયો દ્વારા લાઇવ આરતી દર્શકો સુધી પહોંચાડવા માટે ખૂબ જ ઓછા સમયમાં માળખાગત સુવિધા, સિસ્ટમ્સ અને બેન્ડવિડ્થ તૈયાર કરી હતી. ઉપરાંત ખૂબ જ ટૂંકા સમયગાળામાં અમરનાથના ભક્તો માટે વિવિધ પ્લેટફોર્મ્સ અને એપ્લિકેશન્સ પર પૂજા-અર્ચના કરી શકે તે માટેની સુવિધા વિકસાવવામાં આવી છે. 

લાઇવ અને કેચ-અપ ટીવી એપ્લિકેશન જિયોટીવી પર વિવિધ વિષયોની 650 ચેનલ્સ ઉપલબ્ધ છે. માત્ર ભક્તિ વિષયક 113 ચેનલ્સ અને દર્શનો માટેની 17 ચેનલ્સ આવેલી છે, જેના પર અનેક લોકપ્રિય ધાર્મિક સ્થળોની લાઇવ આરતી અને દર્શનો માણી શકાય છે. જિયો ટીવી પર લાઇવ આરતી જોવા માટે અમરનાથ દર્શન ચેનલ શરૂ કરવામાં આવી છે. દર્શકો નિર્ધારિત સમયે લાઇવ આરતીના દર્શન કરી શકે છે દિવસ દરમિયાન જિયો ટીવી પર જ ગમે ત્યારે રેકોર્ડેડ આરતી માણી શકે છે. સવારે 6 થી 6.30 અને સાંજે 5થી 5.30 દરમિયાન લાઇવ આરતીનું પ્રસારણ થાય છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch