Tue,23 April 2024,10:16 pm
Print
header

દર્દ સાથે અલવિદા કરી દીધી આ દુનિયા, જસદણમાં નર્સે પેટા આરોગ્ય કેન્દ્રમાં જ પંખા સાથે દુપટ્ટો બાંધીને કરી આત્મહત્યા

રાજકોટઃ જસદણ તાલુકામાં શિવરાજપુર ગામે ચોંકાવનારી ઘટના બની છે.અહીં સત્યજીતનગરમાં આવેલા પેટા આરોગ્ય કેન્દ્ર-2 માં એક નર્સે આપઘાત કરી લીધી છે. છેલ્લા એકાદ વર્ષથી કરાર આધારિત એફ.એસ.ડબલ્યુ(નર્સ) તરીકેની ફરજ બજાવતી વીંછિયા તાલુકાના હાથસણી ગામની યુવતીએ જિંદગીને અલવિદા કહી દીધું છે. વહેલી સવારે આરોગ્ય કેન્દ્રનાં રૂમમાં પંખા સાથે દુપટ્ટો બાંધીને તેને આપઘાત કરી લીધો છે.

બનાવની પ્રથમ જાણ આશાવર્કરને થતા સરપંચ અને ઉપ સરપંચ સહિતના લોકો આરોગ્ય કેન્દ્ર ખાતે એકઠા થઈ ગયા હતા. જસદણ પોલીસ મથકમાં જાણ કરાતા પોલીસ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. મૃતક યુવતીના મૃતદેહનો કબ્જો મેળવીને પીએમ અર્થે જસદણની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે.

જસદણ પોલીસે આ યુવતીએ ક્યાં કારણોસર આપઘાત કર્યો છે તેનું સાચું કારણ જાણવા માટે આગળની તજવીજ હાથ ધરી હતી. મૃતક યુવતીના પિતા  ખેતીકામ કરે છે અને પોતે અપરિણીત હતી. તે બે ભાઈઓ અને બે બહેનોમાં સૌથી નાની હતી. યુવતીને જે પગાર મળતો હતો તેના પર પરિવારનું ગુજરાન ચાલતુ હતું, યુવતીના આપઘાતથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch